SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. જેવાને પણ અયોગ્ય એ તું કેણ છે અને અહિં કેમ આવ્યા છે ? ભૂતના તુલ્ય એ તું અહિંથી દૂર જા, અહિં કેમ ઉભે છે. ” આ વખતે તિક વનમાં રહેનારા, તે મુનિના ભક્ત યક્ષે મુનિરાજના શરીરમાં પ્રવેશ કરીને કહ્યું. “ હે તિજો ! પરિગ્રહાદિથી રહિત, બ્રહ્મચારી અને ભિક્ષુક એ હું, અહિં અવસરે ભિક્ષા માટે આવેલ છું. તમે બીજાઓને બહુ અન્ન આપે છે તથા પોતે ખાઓ છે માટે હવે બાકી રહેલું મને અતિથિને આપ.” સાધુના મુખથી યક્ષે આ પ્રમાણે કહ્યું, એટલે જાતિમદથી ઉત્કટ એવા તે અનાર્ય વિપ્રોએ કહ્યું, “ બ્રાહ્મણભજન માટે આ તૈયાર કરેલું બહુજ થોડું છે તે શું અમે તને શુદ્રને આપીએ ? હે ભિક્ષુક ! તું અહીં શા માટે ઉભે છે ? યક્ષે કહ્યું. “ ખેડુતે જેવી રીતે ઉંચી ભૂમિમાં ધાન્ય વાવે છે તેવી રીતે ઉગવાના સંશયથી નીચી ભૂમિમાં નથી વાવતા. માટે હે દ્વિજો ! હારા આવા વચનથી ખેડુ લોકોના સરખા મનવાળા તમે મને શિક્ષકને ભેજન આપે. વિદ્વાનોએ સાધુઓને જ પ્રત્યક્ષ દેખાતું પવિત્ર ક્ષેત્ર કહ્યું છે અને માણસે પુણ્યરૂપ ધાન્ય સંપત્તિને અર્થે તેનું આરાધન કરે છે.” ફરી બ્રામાએ કહ્યું “હે ભિક્ષુ ! અમારાં તે તેજ પવિત્ર ક્ષેત્ર છે, કે જેને વિષે વાવેલું ધન્ય ઉગી નીકળે છે. વેદવિદ્યાનું અધ્યયન કરવામાં કુશળ જે બ્રાહ્મણો છે તેજ અમારાં મને હર ક્ષેત્ર છે બીજા નહીં.” યક્ષે કહ્યું “જેમને વિષે વધ, ક્રોધ, માન, માન, માયાદિ સર્વે દે રહેલા છે, તે પવિત્ર ક્ષેત્ર કેમ કહેવાય? જેવી રીતે શિલ્પશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કામ કરનારે શિલ્પિક કહેવાય છે તેમજ બ્રહ્મચવડે કરીને બ્રાહ્મણ કહેવાય છે, આમ શાસ્ત્રમાં કહેલું હોવાથી તમે બ્રહ્મચર્ય ધારણ કર્યા વિના શ્રેષ્ઠ જાતિ કેમ કહેવાઓ? વલી સારા જ્ઞાનનું ફલ વિરતિ છે તે તે વિરતિ વિના વેદવિદ્યા સારી કેમ કહેવાય? માટે હે વિપ્રો ! કેવલ વેદના ભારને ઉપાડનારા તમે વેદને ભણ્યા છતાં તેના અર્થને જાણતા નથી. ઉંચ નીચ ઘરને વિષે સાધુઓ ભિક્ષા માટે જાય છે પણ તેઓ એકજ ગૃહસ્થના ઘરથી કયારે પણ ભિક્ષા લેતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે – ___ चरेन्माधुकरी वृत्ति-मपि म्लेच्छकुलादपि ॥ एकान्नं नैव मुंजीत, बृहस्पतिसमादपि ॥ १ ॥ મધુકર વૃત્તિ કરનારા સાધુએ ગોચરી માટે સ્વેચ્છ કુલમાં જવું પણ એક બૃહસ્પતિ સરખા વિદ્વાન અને પવિત્ર પુરૂષને ત્યાંથી ભેજન લેવું નહીં ૧ છે - શ્રી જિનેશ્વર પ્રભુએ પાંચ મહાવ્રત ઉચ્ચ વ્રત કહ્યાં છે, અને તે વ્રતને સાધુઓ પાળે છે તમે તે અજિતેંદ્રિય છે.” આ પ્રમાણે યક્ષે યુક્તિયુક્ત વચનથી અધ્યાપકને ક્ષણમાત્રમાં બોલતે બંધ કરી દીધું. તે જોઈ તેના શિષ્ય બહુ ક્રોધ પામ્યા છતાં યક્ષને કહેવા લાગ્યા કે
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy