SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીધર્મચિ’ તથા શ્રી જિનદેવ' મુનિવરની કથા. ( ૧૫૧ ) મ્હાટા ઉત્સવથી રાજ્યાભિષેક કરી દીક્ષા લીધી. છેવટ બે માસની સલેખનાથી નિમળ થએલા તે સર્વ કર્મનો ક્ષય કરી પુ'ડરીકાચળને વિષે સિદ્ધ થયા. દ્રપદી પણ વ્રત અંગીકાર કરી મૃત્યુ પામી બ્રહ્મલેાકમાં દેવતા થઇ. ત્યાંથી ચવી તે વિદેહ ક્ષેત્રને વિષે નિશ્ચે સિદ્ધિ પામશે. નાગશ્રી બ્રાહ્મણીએ આપેલા અશુભ વિષમય કડવા તુંબડાને જીવાના ઉપર દયાના વશથી ભક્ષણ કરી તથા સુવ્રત ગુરૂની પાસે અનશન અંગીકાર કરી જે ધચિ મુનિ, સર્વાર્થ સિદ્ધ દેવલાકે ગયા તે ધર્મચિ મહિષને હું ભક્તિથી નિર′તર સ્તવુ છું. श्री धर्मरुचि नामना मुनिवरनी कथा संपूर्ण पालिअ मंसनियमं, विज्जेहि भणिआवि गेलने ॥ पव्वइउं सिद्धिपुरं, संपत्तो जयउ जिणदेवो ॥ १० ॥ માંદગીમાં વૈદ્યોએ માંસ ખાવાનું કહ્યા છતાં પણ માંસ ન ખાવાના પોતે લીધેલા નિયમને પાળી તથા દીક્ષા લઈ મેાક્ષસદ્ધિ પામેલા જિનદેવ શ્રાવક જયવત વર્તે છે. ! ૧૦ ॥ * श्री जिनदेव नामना मुनीवरनी कथा - દ્વારિકા નગરીમાં પોતાના ગુણાએ કરીને સંપત્તિના સ્થાન રૂપ તથા પૃથ્વીમા વિખ્યાત એવા અહુમિત્ર નામે શ્રેષ્ઠી વસતા હતા, તેને ઉત્તમ ગુણાવાળી અદ્ધરી નામે સ્ત્રી હતી. તે બન્ને જણાએ ઉત્તમ શ્રાવક ધર્મને પાળતા હતા. કાળક્રમે તેને એક પુત્ર થયા. માતા પિતાએ વિનયવંત, ન્યાયવત તથા શુદ્ધ બુદ્ધિથી પ્રેમવાળા તે પુત્રનું જિનદેવ નામ પાડ્યું અને તેને કલાચાર્ય પાસે મોકલી સ કલાઓના અભ્યાસ કરાયેા. પુત્ર અનુક્રમે પૂર્વના પુણ્યથી યાવનાવસ્થા પામ્યા. એકદા શુદ્ધબુદ્ધિવાળા તે પુત્રે સુગુરૂ પાસે ધર્મોપદેશ સાંભળવાથી માંસભક્ષણમાં દોષ જાણી તેનું પચ્ચાખાણ લીધું. પૂર્વ કર્માંના ચેાગથી તે પુત્રને શરીરે રાગ ઉત્પન્ન થયા. વૈદ્યો આષધ કરવા અસમર્થ થયા. તેથી તેઓએ તે શ્રેષ્ઠી પુત્રને કહ્યું, “ હે જિનદેવ ! જે તું માંસ ભક્ષણ કરે તા હારા રાગના નાશ થાય. એ વિના હવે રાગના ક્ષયના બીજો કાંઇ ઉપાય નથી. ” જિનદેવે કહ્યુ'. “ હે વૈદ્યો ! સાંભળેા, પૂર્વક ના યાગથી ઉત્પન્ન થએલા રોગો નાશ પામેા અથવા ન પામે પરંતુ હું પ્રાણાંતે પશુ માંસભક્ષણ કરીશ નહીં. માતા પિતાએ પણ બહુ આગ્રહ કર્યા છતાં તેણે તે માંસભક્ષણની વાત અંગીકાર કરી નહીં. પછી ઉત્પન્ન થએલા વૈરાગ્યથી ભાવિત આત્માવાળા અને ઉદાર મનવાળા તે જિનદેવે સર્વ સાવદ્ય યાગનું પચ્ચખાણ કરી શુદ્ધ બુદ્ધિથી પ્રવ્રજ્યા લીધી. છેવટ કેવળજ્ઞાન પામી કૃતાર્થ થએલા તે જિનદેવ મુનિ મેાક્ષ પામ્યા. 'श्रीजिनदेव' नामना मुनिवरनी कथा संपूर्ण މ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy