SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ) શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ “ અરે માર્કીના પુત્રા ! તમે મ્હારી સાથે દીર્ઘકાલ ભાગો ભાગવી અત્યારે મને કહ્યા વિના કેમ નાસી જાએ છે ? ધિક્કાર છે કૃતઘ્ર એવા તમાને, જો તમે પેાતાનું જીવિત ઈચ્છતા હા તે આ સેલક્યક્ષને ત્યજી દઈ ઝટ મ્હારી સાથે ચાલા, નહિ તા આ ખડ઼ વડે તમારાં બન્નેનાં મસ્તકા છેદી વૃક્ષના લની પેઠે સમુદ્રમાં પાડી નાખીશ. ” દેવીનાં આવાં કઠોર વચન સાંભળીને પણ નિર્ભીય રહેલા તે મને જણાએ ત્રાસ પામ્યા વિના સમુદ્રમાં ચાલવા લાગ્યા. દેવી જ્યારે તેઓને ભયંકર ઉપસર્ગથી ચલાવવા સમર્થ થઇ નહીં ત્યારે તે અનુકુલ ઉપસર્ગથી ક્ષેાભ પમાડવા લાગી. દિવ્ય શૃગાર ધારણ કરી કટાક્ષ ફૂંકતી અને હાવભાવ દેખાડતી તે દેવી ક્રી તેમના પ્રત્યે કહેવા લાગી. હૈ પ્રાણપ્રિય જિનરક્ષિત તથા જિનપાલિત ! હા હા ! તમે બન્ને જણા મને એલીને અહિં મૂકી કેમ ચાલ્યા જાઓ છે ? મેં સ્વગ્નમાં પણ તમને જરા પીડા પમાડી નથી તેમજ કયારે પણ તમારી આજ્ઞા ઉલ્લંઘન કરી નથી ! હૈ પ્રાણનાથ ! તમે મને હમણાં પુણ્યથી પ્રાપ્ત થએલા છે, છતાં તમારા અપરાધ વિના મ્હારી ઉપરના માહ કયાં જતા રહ્યો ? તમારા વિના હુંમદભાગ્યવાળી થઇ છું, તેા હવે મ્હારા દિવસેા શી રીતે જશે ? મ્હારૂં શરીર, સંપત્તિ અને નિવાસસ્થાન વગેરે સર્વ નિલૢ થયું. ” દેવીએ આ પ્રમાણે બહુ કહ્યું પરંતુ જિનપાલિતનું મન જરા પણુ અસ્થિર થયું નહીં પણ જિનરક્ષિત તા કઇંક ચલચિત્ત થયા. દેવીએ તેને અધિ જ્ઞાનથી ચલચિત્ત થએલા જાણી કહ્યું, “ હે પ્રાણનાથ જિનરક્ષિત ! હું તને જેવી પ્રિય હતી તેવી જિનપાલિતને નથી તેમજ તું મને જેવા હુ ંમેશાં પ્રિય હતા તેવા ક્યારે પણ જિનપાલિત નહાતા. હે નાથ ! હા હા, નિ:કૃત્રિમ સ્નેહવાળી, વિયેાગથી આક્રોશ કરતી અને સ્નેહવાળી મને તું અપરાધ વિના ન ત્યજી દે. હું જિનરક્ષિત ! તું એકવાર તે મ્હારૂં મુખ જો. ઉત્તમ પુરૂષો સ્નેહવત સ્વજનને વિષે દક્ષિણ્યતારહિત થતા નથી.” દેવીનાં આવાં સ્નેહયુક્ત વચનથી છિન્ન ભિન્ન થએલા ચિત્તવાલા જિનરક્ષિતે પેાતાના અંધુએ વાર્યા છતાં પણ દેવીના મુખ સામું જોયું. પછી સેલકયક્ષે જિનરક્ષિતને ચલચિત્ત થએલા જાણી અત્યંત ક્રોધ પામી પોતાની પીઠ ઉપરથી સમુદ્રમાં ફેંકી દીધો. સમુદ્રમાં પડતા એવા તે જિનરક્ષિતને “ અરે તું મને મૂકીને ક્યાં જાય છે ? ” એમ કહેતી એવી તે નિર્દય દેવીએ ક્રોધથી તુરત હાથવડે પકડયો અને ફ્રી આક્રોશ કરતા એવા તેને આકાશમાં ઉચ્છાલી તેના શરીરના કકડે કકડા કરી દશ દિશામાં મલીદાન રૂપે ફેંકી દીધા. જિનપાલિત તા દેવીના અનુકુલ, પ્રતિકુલ અથવા મેહકારી વચનથી જરાપણ ક્ષેાભ પામ્યા નહીં તેથી ભગ્ગાચ્છાહવાળી તથા શાંત થએલા ચિત્તવાળી તે રત્નદ્વીપની દેવી પેાતાના સ્થાનકે ગઇ. પછી સેલકયક્ષ નિાિપણે સમુદ્ર ઉતરી સમાધિથી જિનપાલિતને ચંપાપુરીના મ્હાઢા ઉદ્યાનમાં લાભ્યા. ત્યાં તેણે પોતાની પીઠ ઉપરથી જિનપાલિતને ઉતારીને
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy