SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પvu બીજિતશત્રુ નામના રાજા તથા ખુબુદ્ધિ નામના મંત્રીની કથા. (૧૫) પછી પ્રધાને તે પાણી ભૂપતિના રસેઇયાને આપીને કહ્યું કે “તમારે આ પાણી ભેજન વખતે ભૂપતિને આપવું” રસોઈયાએ પણ ભેજન અવસરે તે પાણી રાજાને આપ્યું પછી તે પાણીને લેકેત્તર રસ, સ્વાદ અને સુગંધવાળું જાણું સંતેષિત મનવાળા ભૂપતિએ રસોઇયાને પૂછયું. “અરે! તમે આ અમૃત સમાન પાણી ક્યાંથી લાવ્યા છો?” રસોઈયાઓએ કહ્યું “હે સ્વામિન્ ! એ પાણી અમને સુબુદ્ધિપ્રધાને આપ્યું છે.” ભૂપતિએ મંત્રીને બોલાવી આશ્ચર્યથી પૂછયું. “હે મંત્રિ! હમણાં તમે આ જલરત્ન ક્યાંથી લાવ્યા છે?” મંત્રીએ કહ્યું “હે રાજન જે આપ મને અભયદાન આપો તો હું તે જળરત્વનું સ્થાન વિગેરે સર્વ કહું.” ભૂપતિએ અભયદાન આપ્યું એટલે મંત્રીએ તે પાણીનું યથાર્થ સ્વરૂપ કહી દીધું, પણ તે ભૂપતિના માનવામાં આવ્યું નહીં; તેથી મંત્રીએ ફરી તે પ્રમાણે કરી બતાવ્યું પછી ભૂપતિએ મંત્રીને કહ્યું “હે મંત્રિન્ ! તમે પુગલોનું આ સ્વરૂપ શી રીતે જાયું?મંત્રીએ કહ્યું. “વિશ્વને પ્રકાશ કરનારા જૈનશાસનથી.” રાજાએ કહ્યું. હે સચિવ! મને જિનશાસનનું સ્વરૂપ કહો. તે સાંભળવાની મને બહુ ઈચ્છા છે.” પછી મંત્રીએ એ અરિહંત મતનું સઘળું સ્વરૂપ ઉત્તમ પ્રકારે નિવેદન કર્યું તેથી પ્રતિબોધ પામેલા નૃપતિએ શ્રી અરિહંતના શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ઉત્તમ પ્રકારે ધર્મનું આરાધન કરતા એવા મંત્રી અને ભૂપાલે દીર્ધકાળ પર્યત પિતા પિતાના ઘરમાં ભેગ સુખ ભોગવે છે. એકદા સુગુરૂ પાસેથી ધર્મદેશના સાંભળી પ્રતિબંધ પાપલા મંત્રી અને ભૂપાલ બન્ને જણાએ પિત પિતાને પદે પુત્રને સ્થાપન કરી સદ્દગુરૂ પાસે ભાવથી ઉત્તમ ચારિત્ર લીધું. અનુક્રમે બન્ને જણા એકાદશાંગી સૂત્રના તથા અર્થના જાણ થયા. અતિચારરહિત ઉત્તમ ચારિત્રને પાળી તથા અનેક ભવ્ય જનેને પ્રતિબંધ પમાડી મહાશય એવા તે બન્ને જણા સિદ્ધિપદ પામ્યા. સુબુદ્ધિ મંત્રી પાસેથી ખાઈના જળના દ્રષ્ટાંતને સાંભળી તુરત જિતશત્રુ રાજા પ્રતિબંધ પાપે પછી ઉપશમ રસવાળા બને જણા (સુબુદ્ધિ મંત્રી અને જિતશત્રુ રાજા) સાથે દીક્ષા લઈ બહુ ભવના એકઠા થએલા ઘાઢ પાપનો નાશ કરી મોક્ષપદ પામ્યા. 'श्री जितशत्रु' नामना राजा तथा 'सुबुद्धि' नामना मंत्रीनी कथा संपूर्ण. उववन्नो जोणज्जे, सुदठमुसभस्स समजडि पडिमं ॥ पच्चइओ जेण पुणो, चरणाचरणाउ इणमि ॥ ९८ ॥ अप्पा विमोइओ अ, भावबंधणा दव्वबंधणाओ करी ॥ लद्धजओ परतित्थिसु, सो अद्दरिसी सिवं पत्तो ॥ ९९ ॥ જે અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા, જેમણે આદિનાથની જટાવાળી સુવર્ણપતિમા જોઈ પ્રવજ્યા લીધી અને જેમણે ચારિત્ર પાળવાને અવસરે અર્થાત મેહનીય કર્મ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy