________________
(૮)
અર્થે તે સંક્ષિપ્ત ગદ્યાર્થનો આ કંઈક વિશેષ વિસ્તાર સ્વાધ્યાયરૂપે કરવામાં આવેલ છે.
કોઈક સમર્થ દર્શનકાર આ ‘આત્મસિદ્ધિમાં રહેલા ભાવભેદો ઉપર વૃત્તિ ટીકારૂપે અનેક ગ્રંથો લખી શકે એવી એ કૃતિને એક બાળ શી અંજલિ આપી શકે ! સાગરની ઉપમા જેમ સાગર તેમ આ આત્મસિદ્ધિની અને તેમાં પ્રણીત કરેલ ગહનદશા અને અતિ ગહન સ્વરૂપની ઉપમા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીની ‘આત્મસિદ્ધિ’, તેમની દશા અને તેમણે અનુભવેલ સ્વરૂપ, આપણી એ જ ભાવના અને પ્રાર્થના !
સજ્જન પુરુષો આ અર્થવિસ્તારને ઇત્યેવમ્ ન સમજે, ‘ઇત્યેવમ્’ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચન્દ્ર પ્રભુના હૃદયમાં છે, પ્રાણી માત્રના ઉપકારી અને પરમ ઉપકારી તેથી માત્ર તે જ છે. શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસ લિ. સં. ૧૯૯૯, માહ સુદ પૂર્ણિમા અઘ્યાત્મપ્રેમી, બ્ર૦ ગોવર્ધનદાસ
તા. ૨૦-૨-૧૯૪૩