________________
૪૨૧
વના દ્વારા મને સતાવવામાં આાકી નથી રાખતા. અને તેમાં વળી અધુરામાં પુરૂ થવાની જેમ મારી જેઠાણી (ઈચ્છા) પેાતાની હલકી અને પૂરી દાનતાને પૂરી કરવા પેાતાના ધણી (કામ) અને દીકરા (લેાલ) ને મારી વિરૂદ્ધ ઉશ્કેરવામાં બાકી નથી રાખતી.
પછી ગરજે ગધેડાને માપ કહેવા પડે તેની જેમ ના છૂટકે મારા ઘરના બધા નોકરીમાં સાવ હલકા સ્વભાવના એક નેાકરની (ક્રોધ)ની મદદ લેવી પડે છે.
તે નેાકર મારી સાથે મારી વાતમાં હા પાડે અને ઘરના માણસા સાથે મારી વિરૂદ્ધ કારવાઇમાં પણ ભાગ લે છે. આવે। મદારીના ડુગડુગિયાની જેમ એ તરફ ઢોલકી વગાડી છેવટે મને દુ:ખીજ વધારે કરી મૂકે છે. કેટલીક વાર તા મને આકરા માર પણ મારે છે.
મારા આર્યપુત્ર (ધણી)ની વાત કહેતાં તે આય સ્ત્રી તરીકે મનમાં શરમના શેરડા પડે છે, તે છતાં દિલનુ દર્દ પિતા આગળ ખુલ્લી રીતે ન જણાવુ તે કાને જણાવું ? એટલે પિતાજી! મારી એ કર્મ કથની હું આપને જણાવું છું.
મારા જીવાત્મા પોતાના લંગોટિયા ભાઈબંધ(મનજીભાઇ ના ચાળે એવા ચઢી ગયા છે કે શી ખખર ! કેવા કેવા ભયંકર સજોગામાં તેઓ સપડાઈ જશે! તેની કલ્પના પણ મને ઘણી વાર કમકમાટી ઉપજાવે છે !