________________
પમાડી સન્માર્ગમાં સ્થિર કર્યા છે. તે સંબંધને વિસ્તાર જીજ્ઞાસુએ તેમના જીવનચરિત્રથી જાણ. મારવાડ દેશના જોધપુર જિલ્લામાં વસનારા કેટલાએક મુણોત ત્રીયા રજપુતોને માંસ મદિરા છેડાવી ઉત્તમ સંસ્કારી કરી પવિત્ર શ્રી જૈનધમી મુણાતગોત્રીય ઓસવાલ બનાવ્યા છે. રજપુતોમાંથી ઓસવાલ બનાવનારા આચાર્યોમાંના છેલ્લામાં છેલ્લા આ આચાર્ય થયા છે એમના પછી એવા સમર્થ કોઈ પણ આચાર્ય થયેલ જણાતા નથી. કારણ કે છેલ્લા ઓસવાલ મુણોતગોત્રી બન્યા છે. ત્યારપછી કેઈપણ એસવાલની નવી જાત બની નથી. એ ઐતિહાસિક પુરા છે. અને મરૂપરાધિપતિ માલદે રાજાને પ્રતિબંધ આપી શ્રી જૈનધર્મ પ્રતિ અનુરાગી બનાવેલ છે, વલી માલવ દેશમાં ચંડાલેને પ્રતિબોધ આપી, હિંસા કરતા અટકાવી, નવને દયાળુ પરિણામવાળા બનાવ્યા અને સિદ્ધપુર પાસેના ઉનાવા ગામમાં મેસરી વાણુઓના પાંચસો ઘરને ધર્મોપદેશ આપી જૈનધમી બનાવ્યા. ઈત્યાદિ અનેક ઉપકારે કરી, વિ. સં. ૧૬૧૨ના માગસર સુદ ત્રીજને રવિવારે જોધપુર નગરમાં ભત્તપશ્ચખાણ (આહારપાણને ત્યાગ) અણસણ પૂર્વક પિતાનું ૭૫ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા. તેઓશ્રીએ ૬૬ વર્ષ સુધી દીક્ષા પર્યાય પાલન કર્યો, ૪૭ વર્ષ લગી આચાર્યપદે રહ્યા ને ૧૩ વર્ષ સુધી યુગપ્રધાન પદ દીપાવ્યું. તે સમયે સુશ્રાવકેએ સુગુરૂદેવના સ્વર્ગવાસ નિમિત્તે અઠ્ઠઈ મહોત્સવ, શાંતિસ્નાત્ર મહોત્સવ અને સૂરીશ્વરદેવની ચરણપાદુકા