________________
મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો (પદ્યસાહિત્ય) ૪૫
કવિનું લક્ષ્ય છે.
સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં નયસુંદરે રચેલા ‘રૂપચંદકુંવર રાસ’માં જૈનધર્મની મહત્તા સ્થાપિત કરતાં કહ્યું છે
તત્ત્વદ્રષ્ટિએ જોતા હતા સ્યાદવાદ શુદ્ધ પંથ
અવ૨ એકાન્તિક મત જેટલા, મત તેહિ જ ઉન્માદ.
એ જ રાસમાં સર્વ ધાર્મિક સિદ્ધાંતોમાં અહિંસાને પ્રથમ સ્થાન આપ્યું છે. અઢારમી સદીના અંતમાં મુનિ પદ્મવિજ્યે રચેલા ‘જ્યાનંદકેવલીરાસ'માં દર્શાવ્યું છે કે જયાનંદ ૫૨ દેવી હિંસક હુમલો કરે છે. પણ જયાનંદ અહિંસક રહીને નવકા૨ મંત્ર ભણે છે, પરિણામે દેવીએ હિંસાનો ત્યાગ કર્યો. એ જ રાસની અનેક આડકથાઓમાં અરણ્યવાસી જૈનમુનિના પ્રભાવથી, મૃગ, સારસ વગેરે પશુપક્ષીઓ સમક્તિધારી’ થઈને જિનવરની આણ માને છે. એથી રાજાના સૌનિકો મૃગયા ૨મવા ત્યાં આવ્યા પણ કોઈ પણ પશુપક્ષીને એકપણ તીર વાગ્યું નહિ.
અહિંસાની જેમ બીજો મહત્ત્વનો સિદ્ધાંત કર્મવાદનો છે. સત્કર્મોનાં લાભદાયી ફળો અને કુકર્મોનાં માઠાં ફળો કથામાં અસરકારક રીતે દર્શાવી શકાય. સોળમા સૈકામાં નયસુંદરે રચેલા ‘સુરસુંદરીરાસ'માં કવિ પ્રત્યક્ષ રીતે કર્મવાદનો સિદ્ધાંત કેવો મહત્ત્વનો છે, તે સમજાવતાં કહે છે–
કર્મ વિપાક ન કોઈ સખાઈ, નાંખે કર્મ મહાભવખાઈ
નવરૃપ કુબજ સુખાર અભ્યાસી, હિરચંદ વેચાવિયાં માંહી કાશી. કર્મે રાવણ કાઈ શાબાશી, કૌરવ સંતતિ કર્મે વિણાસી
જૈન ધર્મ ઈશ્વરમાં માનતો નથી, તેથી કર્મફળનું મહત્ત્વ અત્યધિક છે. જૈન ધર્મગ્રન્થોમાં ક્યાંય ઈશ્વરસ્તુતિ આવતી નથી. એથી પાત્ર ૫૨ જ્યારે દુઃખ પડે છે, ત્યારે એ એમ માને છે, કે એ એનાં કર્મનું ફળ છે. એક દ્રષ્ટિએ રાસાના લેખકો પ્રત્યક્ષ રીતે કર્મવાદનો ઉપદેશ આપતા તો અન્ય પક્ષે કર્મનું ફ્ળ દર્શાવવા પાત્રના દુઃખનું કારણ એના પૂર્વજન્મની કરણી છે એમ પુરવાર કરવા પાત્રોના અનેક પૂર્વજન્મોની કથાઓ કહેતા. પંદરમી સદી પછીના રાસાઓમાં વિસ્તાર માટે પૂર્વજન્મની કથાઓ પણ મહદંશે જવાબદાર છે. બાણની કાદંબરીમાં અને જાતકકથાઓમાં પણ પૂર્વભવની કથાઓ આવે છે, ને એ રીતે જૈનોના કર્મ સિદ્ધાંતમાં ઠીક રીતે ગોઠવાઈ જાય છે. પંદરમી સદી પછીના પ્રત્યેક કથામૂલક રાસમાં નાયક અને નાયિકાના પૂર્વભવની કથાઓ અચૂક આલેખાતી. એ કથાઓ દ્વારા કયું પાત્ર, કયા કર્મને લીધે કેી સજા ભોગવે છે તે શ્રોતાઓને સમજાવાતું. તદુપરાંત પૂર્વભવની કથાઓના