________________
અખો ૩૯૯
૩. પરબ્રહ્મ-આરાધનાની અગત્ય, ભક્તિમહિમા, જીવન્મુકતનું વર્ણન પદ
૨ કડવાં ૯ થી ૧૬ પદ ૪ ૪. પરબ્રહ્મપદપ્રાપ્તિવિષયક કડવાં ૨૪ થી ૨૮, પદ ૭
અન્ય મતોની ઊણપો કડવાં ૨૯ થી ૩૧ ૭. ગુરુસેવનનો મહિમા કડવાં ૩ર થી ૩૫ ૮. અદ્વૈતાનુભવ કડવાં ૩૬ થી ૩૯ ૯. ઉપસંહાર, અદ્વૈતાનુભવનો આનંદોદ્ગાર કડવું ૪૦, પદ ૧૦
‘અખેગીતા'માં નિરૂપાયેલી વસ્તુઓનો ઉલ્લેખ છેલ્લા કડવામાં છે: એમાં જ્ઞાન ભક્તિ વૈરાગ્ય છે, માંહે માયા નિરીક્ષણ દષ્ટય, જીવન્મુક્ત ને મહામુક્તનાં ચિહ્ન ને વળી પુણ્ય. (૪૦૫)
એ બાબતો ‘અખેગીતામાં ચર્ચાઈ છે એ વાત ખરી, પણ એ ક્રમે તે નિરૂપાઈ નથી. અખાનો તત્ત્વવિચાર બલકે અનુભવવિચાર સાયૅત સમજાય એ રીતે ‘અખેગીતા'માં નિરૂપાયેલી બાબતોનો પરિચય આ ક્રમે થઈ શકે – ૧. (અ) માયાનિરીક્ષણદૃષ્ટિ કડવાં ૪-૮ (આ) જીવભાવ નાબૂદ થઈ બ્રહ્મભાવનું ઊઘડવું
બ્રહ્મનું સ્વરૂપ ૧૭-૨૩, ૩૭-૩૮; જગતનું સ્વરૂપ ૭, ૧૯-૨૩; જીવનું
સ્વરૂપ ૧૯-૨૦, પદ ૫ બ્રહ્મભાવ પામવાના ઉપાય વૈરાગ્ય ૯; ભક્તિ ૧૦-૧૧; જ્ઞાન ૧૨, પદ ૩ કડવું ૩૬, પદ ૯; ખોટાંસાધન ૧૫-૨૭, ૨૯-૩૧ બ્રહ્મભાવ પામેલી વ્યક્તિઓ જીવન્મુકત ૧૩-૧૬, પદ ૪; વિદેહી મહાત્મા ૨૮, પદ ૭, સદ્દગુરુસંત પદ૨, પદ ૩, કડવાં ૩૨-૩૫, ૩૯; પુષ્ટિ ૩૪
૧. (અ) અજ્ઞાનના પડળને કારણે જીવ આત્માથી ‘ઓતળીને “માયાવતો' વિચરે છે, જાણે કે જાગ્રત સ્વપ્નમાં. માયા પંચપ છે – એ જીવમાં અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ નિપજાવે છે. પરિણામે માણસ પોતાનું આત્મત્વ, સ્વરૂપ ગુમાવી બેસે છે,–“એમ આપોપું નર ખુવે'. માયા ખાટકીની પેઠે જીવને ઘણા ઘણા ભક્ષ્યભોગ આપે છે પણ તે અંતે વધ કરવા માટે જ. ભિક્ષુક પાછળ રડવડતો મર્કટ માગતો ફરે છે તેવી માયાથી દોરવાતા જીવની સ્થિતિ છે. એનો દોરીસંચારો
૨.