________________
અખો ૩૮૯
બંગલાની હસ્તપ્રતમાં (જેમાં નામ “ગોકલીનાથ આપ્યું છે, અને ગુજરાત વિદ્યાસભાની હસ્તપ્રત નં.૧૬ ૩૫માં મળે છે. ત્રણેમાં લે' ને બદલે હરે છે.
ધન હરે ધોખો નવ હરે' એ પંક્તિ છપ્પા ૩00માં આવે છે અને એને યોગ્ય સ્થાન ત્યાં છે. ત્યાં એ પ્રાપ્ત રામ કરે તે ગુરુ, બીજા ગુરુ તે વાગ્યાં વરુ એની પછી આવે છે અને ત્યાં ખોટા ગુરુની ટીકાને સ્થાન છે. ૧૬ ૮માં એ અસંગત છે. ૧૬ ૮નો બલકે આખા પ્રપંચઅંગ' (૧૬૩-૧૭૦)ના આઠેઆઠ છપ્પાનો સંદર્ભ જોવો જરૂરી છે. પ્રપંચ અંગ” ગુરુઓના પ્રપંચ અંગે નથી, પણ વાકુપ્રપંચ અંગે છે. “શ્લોક સુભાષિત મીઠી વાણ' ગાનારા કવિઓને અખો કહે છે કે હું પણ મન મનાવવા એક મોટા માણસને ગુરુ કરી આવ્યો હતો, પણ એટલા માત્રથી આધ્યાત્મિક અનુભવ મળી જતો નથી. ત્રણ મહાપુરુષ પહેલા ત્રણ વૈષ્ણવ આચાર્યો) ખરા, પણ ચોથો આપ (આત્મા)–જેનો ન થાયે વેદે થાપ, તેને “અખે ઉરઅંતર લીધો જાણ, ત્યાર પછી ઊઘડી મુજ વાણ.” આધ્યાત્મિક અનુભવ પામ્યા પછી પોતે મોઢું ખોલ્યું છે, કવવા માંડ્યું છે,– ચર્વિતચર્વણ કરવાનો વાપ્રપંચ પોતે કર્યો નથી. અંતે ઉમેરે છે : જે નરને આત્મા ગુરુ થશે, કહ્યું અખાનું તે પ્રીછશે.” સાચા કાન્તદર્શી આધ્યાત્મિક કવિ થવા માટે આત્માને ગુરુ કરવાની જરૂર છે એ વાકપ્રપંચ અંગેના આખા પ્રપંચ અંગ’-નો મથિતાર્થ છે.
આમ, મહાજનને ગુરુ કરવાથી આપણે સગરા થયા એમ મન મનાવી શકાય છે, વિચારથી તો નગુરા જ રહીએ છીએ, એવો સ્વાનુભવ પ્રપંચ અંગમાં કવિએ ટાંક્યો છે. એમાં મહાજનનો નહીં, પણ બાહ્ય આચારમાં રાચતા પોતાના મનનો દોષ જોવાનો એનો આશય છે. એટલે કે પ્રપંચ અંગ'નો આખો સંદર્ભ જોતાં એમાં અખાનો આશય ગુરુની નિર્ભર્સનાનો નહીં પણ પોતાની નિર્ભર્સનાનો છે એ સ્પષ્ટ જોઈ શકાય છે.
ઘરડા બળદને ઘાલી નાથ'—એ પાઠ ત્રણ હસ્તપ્રતોમાં મળે છે અને એ પંક્તિ એ રીતે હોય તો પણ અર્થ તો એ જ ઉદ્દિષ્ટ છે કે ગુરુની દીક્ષા લઈને પોતે ઘરડા બળદ જેવો છે તેને કાંઈક અંકુશમાં આણ્યો–નાથ ઘલાવી. સાધકો આ જાતની ભાષા યોજે છે. દયારામ કહે છે : “મારું ઢણકતું ઢોર ઢણકે છે બહુ નઝમાં... વશ કરી રાખો નિજ પાસ માગું.” અખા ઉપર જેનો નિ:શંક ખૂબ મોટો પ્રભાવ છે તે પુરોગામી માંડણ કહેવતો ગૂંથીને રચેલી પ્રબોધબત્રીશીમાં એક કહેવત આપે છે : “એ તો પછી સગુરુ શું કહઈ, જુ ગલીઉ ઢાંઢું થઈ રહઈ?— જો તું ગળિયો બળદ થઈને રહે તો પછી સગરો છે એમ કહીને શું? નિર્બળ અડિયલ મનવાળો સગુરો બને તે ઘરડા-ગળિયા બળદને નાથ ઘલાવવા જેવું છે. એમ કરવાથી એ