________________
મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો (પદ્યસાહિત્ય) ૨૧
છે. જેમ કે નરસિંહના આ પદમાં –
આજ સપરમો દહાડો મારા વાલા રે હરિ આવ્યા મારે ઘેર, કાન છોગાળા રે શેરી વળાવું સોહામણી મારા વાલા રે ફૂલડિયા વેરાવું નીત, કહાન છોગાળા રે સેજ પાથરણાં પાથરું, મારા વહાલા રે તે ઉપર બેસો પ્રાણાધાર, કાન છોગાળા રે.
ઊર્મિ પદમાં નિરૂપાતાં કાં તો કથનાત્મક રૂપ લેતી, અથવા વર્ણનાત્મક. કેટલાંક પદોમાં વર્ણનો પાત્રના મુખમાં ઉક્તિરૂપે આવતાં. જેમ કે મીરાંબાઈનું –
છાનોમાનો આવે કહાન, પાછલી જ રાતે રે વેણુમાંહી ભૈરવ ગાયો, આવીને પ્રભાતે રે સમ ખાઈને સૂતી હતી, નહિ બોલું હરિ સાથે રે દ્વાર ઉઘાડી પાયે લાગું, મોરલી કેરા નાદે રે..
આ પદમાં ગોપીની કથનાત્મક ઉક્તિ છે. તો નરસિંહના આ પદમાં ઊર્મિએ વર્ણનાત્મક રૂપ લીધું છે –
રૂમઝૂમ નાદે નેપૂર બાજે, ઝાંઝરનો ઝમકાર રે તાલીતાલ મૃદંગ ધૂને નાચે, હરિ કિકણી રણકારે રે એક વેણ મહુઅરે વાહ, કામિની કેલ કરતાં રે શિર પર સોહે રાખલડી રે, ઝલકે ભમરી લેતાં રે કાને કુંડળ મુગુટે મહામણિ, શોભા કહી મનભાવે રે ભણે નરસૈયો આનંદભયો અતિ, હરિ ભામિની ભાવે રે..
અહીં હરિ માટેની લાગણી રસોચિત સામગ્રી અને ગોપી તથા કૃષ્ણના વસ્ત્રાભૂષણના વર્ણન દ્વારા આલેખાઈ છે. વર્ણનાત્મક પદોમાં શરૂઆતમાં તો વર્ણન લાગણીની અભિવ્યકિતની એક રીતિ હતી. તેથી શરૂઆતનાં પદો ટૂંકાં હતાં પણ પછીનાં કાવ્યોમાં વર્ણન આવવું જ જોઈએ એવી પરિપાટી બંધાતાં વર્ણનપ્રધાન કાવ્યોમાં ઊર્મિતત્ત્વ ઘટતું ગયું. જેમ કે થાળનાં પદોમાં ભોજનસામગ્રીનું વર્ણન આવે. તો એ વર્ણન, પ્રભુમિલનની ઝંખના વ્યક્ત કરવા અને તેને નિમંત્રવા પ્રયોજાય છે. શરૂઆતનાં નરસિંહ વગેરેનાં કાવ્યોમાં, વાળનાં પદોમાં ઈષ્ટદેવ પધરાવવાની વિનંતિને