________________
૩૬૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
ભાવિ મહારાણી હતી, એનાં પદમાં સુશિક્ષિત, સુસંસ્કારી, સુસંસ્કૃત માનસ પ્રગટ થાય છે. એના આ માનસમાં રુક્ષતા કે રોંચાપણું નથી, રુચિ અને રસિકતા છે. એના આ માનસમાં પ્રશિષ્ટતા અને સૌજન્ય છે, કુલીનતા અને શીલતા છે, ઉદારતા અને ભદ્રતા છે, મીરાંમાં માનસની અમીરાઈ છે. એના એક સાદ્યંતસુન્દર અને સર્વાંગસંપૂર્ણ પદમાં એનું આ માનસ સંપૂર્ણપણે પ્રગટ થાય છે :
ઉપાડી ગાંસડી વેઠની રે, કેમ નાંખી દેવાય?
એ છે રણછોડરાય શેઠની રે, એ છે શામળશા શેઠની રે.
કેમ નાંખી દેવાય?”
ઊની ઊની રેતીમાં પગ બળે છે,
કેમ નાંખી દેવાય?
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, મને લગની લાગી છે ઠેઠની રે. કેમ નાંખી દેવાય?”
લૂ વાય માસ જેઠની રે.
જાણે કે એણે શિ૨ ૫૨ વેઠની ગાંસડી ઉપાડી છે એ જોઈને એને કોઈ સૂચવે છે, નાંખી દે ને! નાંખી દે ને!” અને એ એ તો રણછોડરાય શેઠની છે, શામળશા શેઠની છે’ એમ પુનરાવર્તન દ્વારા, ભલે ઊની ઊની રેતીમાં પગ મળે, જેઠ માસની લૂ વાય' છતાં ‘મને ઠેઠની લગની લાગી છે' એથી એ સામેથી ચાર વાર પ્રશ્ન પૂછે છે, “કેમ નાંખી દેવાય?” –વેઠની’, ‘શેઠની’, જેઠની’ અને ઠેઠની’ના અંત્યપ્રાસ નહીં પણ આંતરપ્રાસ અને કૈમ નાંખી દેવાય?” નું ધ્રુવપદરૂપે ચાર વાર પુનરાવર્તનએમાં સુશિક્ષિત, સુસંસ્કારી, સુસંસ્કૃત માનસનો કેવો લયલહેકો અને મરોડ છે!
મીરાંનો પરમેશ્વર અને એ પરમેશ્વરનો પ્રેમ એ કોઈ સંપ્રદાય આદિનો પરમેશ્વર અને પ્રેમ નથી. કોઈ જ્ઞાન-કર્મ-યોગની નીપજ નથી. એથી મીરાંનાં પદમાં કોઈ ખંડનમંડન નથી, કોઈ વાદપ્રતિવાદ નથી. મીરાંનું એકએક પદ એ પ્રધાનપણે બુદ્ધિનું સર્જન નથી. એનો અર્થ એ નથી કે એમાં બુદ્ધિનો અભાવ છે. પણ એનો અર્થ એટલો જ કે એમાં માત્ર બુદ્ધિ નથી. એથી એમાં સારગ્રાહિતા, જ્ઞાનગૃહ્યતા, વિદ્વત્તા (electicism, esotericism, erudition) આદિ બુદ્ધિનાં પ્રસિદ્ધ લક્ષણો નથી. મીરાંનું એકએક પદ પ્રધાનપણે હૃદયનું સર્જન છે. એથી એમાં ભાવ, રસ, પ્રેમભક્તિ આદિ હૃદયનાં પ્રસિદ્ધ લક્ષણો છે. મીરાંનું એકે પદ શ્રમસાધ્ય કે કષ્ટસાધ્ય નથી. મીરાંનું એકેએક પદ મીરાંની સહજ, સહસા સ્વયંસ્ફુરણા છે. મીરાંનાં કોઈ કોઈ પદમાં તો નર્યું કથન હોય છે. બલવન્તરાયે જે અન્ય સંદર્ભમાં કહ્યું છે તે મીરાંનાં આવાં પદના સંદર્ભમાં સવિશેષ સાચું છે કે, કેટલીકવાર નર્યું કથન જાતે ઊંચી અમર કવિતા હોય છે.' મીરાંનું એકેએક પદ સ્વભાવોક્તિ છે. એમાં જે અન્ય અલંકારો