SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ મીરાં ૩૪૯ ન | જ સુલભ અને સહજ એવો સંકોચ, સંયમ, એવી મર્યાદા, એવું શીલ છે. આ દાસ્યભક્તિ, દાસીભાવ, મીરાંનાં કોઈ કોઈ પદમાં પ્રગટ થાય છે : ‘ઊભી ઊભી અરજ કરે છે મીરાં રાંકડી માણીગર સ્વામી મારે મંદિરે પધારો સેવા કરું દિન રાતડી ‘રામ રાખે તેમ રહીએ ઓધવજી. રામ રાખે તેમ રહીએ. કોઈ દિન પેરણ હીર ને ચીર, કોઈ દિન સાદા રહીએ. કોઈ દિન ભોજન શીરો ને પૂરી, કોઈ દિન ભૂખ્યાં રહીએ. કોઈ દિન રહેવાને બાગ બગીચા, કોઈ દિન જંગલ રહીએ. કોઈ દિન સૂવાને ગાદી ને તકિયા, કોઈ દિન ભોંય સૂઈ રહીએ. બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, સુખદુઃખ સૌ સહી રહીએ.” રહસ્યદર્શન અને સંપ્રદાય મીરાં ભક્ત છે, સંત છે. મીરાંનો પરમેશ્વર એ ભક્તનો, સંતનો પરમેશ્વર છે. મીરાંનો પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ એ ભક્તિ છે, પ્રેમલક્ષણા ભક્તિ, આ ભક્તિ “પરી અરવિત શ્વરે' છે. એ પરમપ્રેમસ્વરૂપા છે.મીરાંનો પરમેશ્વરનો અને પરમેશ્વરના પ્રેમનો અનુભવ એ રહસ્યમય અનુભવ (mystical experience) છે. મીરાંને પરમેશ્વરનું પ્રત્યક્ષ જ્ઞાન હતું, પરમેશ્વરનો તક્ષણ સદ્ય અનુભવ (direct and immediate knowledge and experience of God) હતો. મીરાં રહસ્યવાદી (‘રહસ્યવાદ,” ‘રહસ્યવાદી' એ શબ્દોમાં વાદની ગંધ છે, એ શબ્દોથી ગેરસમજને અવકાશ છે. ‘રહસ્યમાર્ગ, ‘રહસ્યમાર્ગી શબ્દોની પણ એ જ મર્યાદા છે. રહસ્યદર્શન, રહસ્યદર્શી વધુ સંતોષકારક છે.) હતી, mystic હતી. આ અનુભવ એ પરમેશ્વરની કૃપા છે, કરુણા છે, પરમેશ્વરનો અનુગ્રહ છે. વૈષ વૃખતે તેને 7મ્ય' | પરમેશ્વર જેને પસંદ કરે છે, જેને વરે છે તે મનુષ્યને જ આ અનુભવ થાય છે. જેમ અગ્નિથી જ અગ્નિ પ્રગટ થાય છે તેમ પરમેશ્વરથી જ પરમેશ્વર પ્રગટ થાય છે, પરમેશ્વરના પ્રેમથી જ પરમેશ્વરનો પ્રેમ અને ભક્તિથી જ ભક્તિ પ્રગટ થાય છે. “સ્વયમ્ ર્તરૂપતા, ર્નરૂપતી'! આ અનુભવ પરમેશ્વર, પરમેશ્વરનો પ્રેમ, ભક્તિ સ્વયંભૂ છે, સ્વત:સિદ્ધ છે, સ્વજાત છે. એથી જે મનુષ્યને આ અનુભવ થાય છે અને પોતાને પણ આ અનુભવ જાણે કે પૂર્વજન્મની પ્રીત છે, જન્મજન્માન્તરનો અનુભવ છે, આદિ ક્ષણનો અનુભવ છે, બલકે અનાદિ અનુભવ છે એવું આશ્ચર્ય થાય છે. “પ્રાશને વાપિ પતિ.” એથી કોઈ વિરલ વ્યક્તિને જ આ અનુભવ થાય છે. કોઈ વિરલાને હાથે ચડિયું.” આવી વ્યક્તિ અતુલ્ય અને અનુપમ હોય છે, અનન્ય અને અદ્વિતીય, એકમેવ (Su generis) હોય છે. અન્ય માયાળ ત્યા | મન તે’ આ અનુભવમાં
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy