________________
૩૪૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧
કામણ કીધાં કાનુડે, મારું મન મોહ્યું માવે; મન મોહ્યું મા'વે. દૂજો મારી નજરુંમાં ના'વે; ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો, મને મારો રામજી ભાવે, બીજો મારી નજરે ન આવે? પરણીશું મારા પ્રભુજીની સાથ, બીજાનાં મીંઢળ નહીં બાંધું મારે તો વર વિઠ્ઠલને વરવું છે, બીજાને મારે શું રે કરવું છે? ‘નહીં બાંધું મીંઢળ બીજાનાં, મીંઢળ નહીં રે બધું હું તો પરણી મારા પિયુજીની સાથ
તો પરણી મારા પ્રિતમની સંગાથ વહાલમજી, બીજાનાં મીંઢળ નહીં રે બાંધું અખંડ વરને વરી સાહેલી હું તો અખંડ વરને વરી તો મીરાંનાં બે ઉત્તમ પદમાં આ પ્રતીતિ પૂર્ણપણે પ્રગટ થાય છે : બોલ મા, બોલ મા, બોલ મા રે રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા રે. સાકર સેલડીનો સ્વાદ તજીને કડવો તે લીમડો ઘોળ મા રે. ચાંદા સૂરજનું તેજ તજીને આગિયા સંગાથે પ્રીત જોડ મા રે. હીરા માણેક ઝવેર તજીને કથીર સંગાથે મણિ તોલ મા રે. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર શરીર આપ્યું સમતોલમાં છે.”
મુખડાની માયા લાગી રે મોહન પ્યારા! મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારું. સંસારીનું સુખ એવું. ઝાંઝવાનાં નીર જેવું, તેને તુચ્છ કરી ફરીએ. પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો. રાંડવાનો ભય ટાળ્યો. મીરાંબાઈ બલિહારી, આશા મને એક તારી, હવે હું તો બડભાગી.”