________________
૩૩૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ- ૧
લેહ લાગી' તારી લેહ લાગી તારી લેહ લાગી પ્રેમમગનમાં હું રાજી' લેહ લાગી મને તારી ચરણકમળ લેહ લાગી હરિસંગે લગની લગાવી મુંને લેહ રે લાગી હરિના નામની રે હું તો ટળી રે સંસારિયાના કામની રે મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યારા ‘ચોટ વાગી તે ઢળી કોઈની નહીં ટળે રે હું રે ઘાયલ હરિના નામની રે કટારી વાગે આરપાર, મનડું તો ઘાયલ થયું પ્રેમની કયરી મુને ખીચકર મારી રે, થઈ ગઈ હાલબેહાલ ઉપાડી ગાંસડી વેઠની રે, કેમ નાંખી દેવાય? મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, મને લેહ લાગી છે ઠેઠની રે;
કેમ નાખી દેવાય?” પરમેશ્વરનો આ પ્રેમ ક્યારેક એટલો અસહ્ય થાય છે કે મીરાં એથી અકળાય, અમળાય છે અને પરમેશ્વરને પ્રશ્ન પૂછે છે :
‘તારો જુલમ તો હું કેમ સહું રે હાના?’ આવડો જુલમ શો રે કરે છે? મારી પૂંઠે ફરે છે રે
પરમેશ્વરના આ પ્રેમ સમક્ષ પોતે પરાધીન અને પરતંત્ર છે એથી મીરાં ક્યારેક આ પ્રેમમાંથી મુક્તિ માટે પરમેશ્વરને પ્રાર્થના કરે છે :
જવા દો મને શાને રોકો છો વાટમાં પરમેશ્વરના આ પ્રેમમાંથી કદી મુક્તિ નથી. “આમિ બાંધા સુમિ બાંધા, મુક્તિ કથાઓ નાઈ, રે બંધુ, મુક્તિ કોથાઓ નાઈ.”—હું બંધાયો, તું બંધાયો; મુક્તિ ક્યાંય નથી રે બંધુ, મુક્તિ ક્યાંય નથી – એવું મીરાંનાં કોઈ કોઈ પદમાં પ્રગટ થાય છે :