________________
ફાગુસાહિત્ય ઃ જૈન અને જૈનેત૨ ૨૯૭
વંકુડિયાલીય ભૂંડિયહં ભિર ભુવણુ ભમાડઈ, લાડી લોયણલહકુડલઇ સુર સગ્ગહ પાડઈ. કિરિ સિસિબિંબ કપોલ કન્નહિંડોલ ફરતા, નાસા વંસા ગરુડચંચુ દાડિમલ દંતા;
અહર પવાલ તિ રેહ કંઠુ રાજલસર રૂડઉ, જાણુ વીષુ રણરણઈં જાણુ કોઈલટકડલઉ.
રણુણુ એ રુણુઝુણુ એ રુણુઝુણુ એ કડિ ઘઘરિયાલિ, રિમિઝિમિ રિમિઝિમિ રિમિઝિમિ એ પયને ઉરજુયલી.’
કૃષ્ણર્ષીય જયસિંહસૂરિચિત પ્રથમ અને દ્વિતીય ‘નેમિનાથફાગુ' આ પછી થોડે જ સમયે કૃષ્ણર્ષીય જયસિંહસૂરિએ બે નેમિનાથ ફાગુ'ઓ રચ્યા છેઃ ઈ. ૧૩૬૬ (સં.૧૪૨૨) આસપાસ. એકમાં એમણે જિનપદ્મસૂરિ અને રાજશેખરસૂરિએ યોજેલા દુહારોળાની ‘ભાસ’નો પદ્યબંધ અપનાવ્યો છે, તો બીજામાં એમણે આદિ ફાગુકાવ્ય ‘વસંતવિલાસ’નો આંતરયમકવાળા દુહાનો ‘ફાગુ' બંધ સ્વીકાર્યો છે. બંનેમાં કવિની બાનીનું માધુર્ય અને પ્રૌઢિ પ્રશસ્ય છે.
ભમઇં ભમર મધુપાનમત્ત ઝંકારુ કરંતા, રિતુરાયહ કિરિ ભટ્ટટ્ટ વ૨ કિત્તિ પઢતા,
પ્રથમ ફાગુનું વસન્તવર્ણન સુંદર છે. એમાં પ્રશિષ્ટ જૈનેતર રચના ‘વસન્તવિલાસ’ના પડઘા સંભળાય છે.
પસિર પિરમલુ મલઈવાઉ, દિિસ પૂરતો, માણિણિ કામિણિ મનહ માહિ, તણિ સૂરંતો.' ૪ રાજિમતીના વર્ણનમાં ઋજુ સૌન્દર્ય છે :૨૯
“મયણ સુહડ કિરવાલ સરિતુ સિરિ વેણીયદંડો, કંતિસમુજવલુ તાસુ વયણુ, સસિબિંબુ અખંડો, ભાલથલુ અઠ્ઠમિય ચંદુ, કિરિ કંન હિંડોલા, ભમુહ ધણુહ સમ વિપુલ, ચપલ લોયણ કંચોલા. ૯
—
અહિરુ પ્રવાલઉ, કંઠુ કરઇ કોઇલસઉ વાદો, રાજલ વાણિય વેણુ વીષુ ઊતારઇ નાદો. ૧૦