________________
૨૮૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
‘વસંતવિલાસ’ની અસર છે એમાં શંકા નથી. ‘વસંતવિલાસ’માં પ્રાચીન ગુજરાતી અને સંસ્કૃત શ્લોકોના ભાવ-વિચારનું નિરૂપણ સમાન્તર છે. જ્યારે ‘હિરિવલાસ’માં પ્રાચીન ગુજરાતી કવિતાએ પૌરાણિક શ્લોકોનું અવલંબન ઉત્કટપણે ગ્રહણ કર્યું છે. સોમસુન્દરસૂરિષ્કૃત ‘રંગસાગરનેમિફાગ' અને રત્નમંડનગણિકૃત ‘નારીનિરાસ ફાગ'માં પણ સંમતિના સંસ્કૃતના શ્લોક આપ્યા છે, ત્યાં પણ ‘વસંતવિલાસ'નું જ સ્પષ્ટપણે અનુકરણ છે. એ વિષે આગળ ચર્ચા કરીશું.
કાવ્યનો છંદ ‘ફાગુ’ પ્રકા૨નો દુહો છે. ભાયાણીએ એના ચરણની ૧૨-૧૧ માત્રા ગણીને છંદોનુશાસન' જેવા પ્રાકૃત પિંગળગ્રંથો અનુસાર એને ‘ઉપદોહક’નું નામ આપ્યું છે.
‘હરિવિલાસ’નું કાવ્યત્વ ઊડીને આંખે વળગે એવું મનોહર છે. કાવ્યમાં છંદનો મુક્ત પ્રવાહ, સહજપણે અનાયાસ સધાતા યમક, શ્રીકૃષ્ણની દાણલીલા અને રાસલીલાનાં સુંદર, ભાવપૂર્ણ ચિત્રો, એ સર્વને કારણે ‘હિવિલાસ' એક અતીવ હૃદયંગમ કાવ્ય બન્યું છે. નીચેનાં થોડાંક ઉદાહરણોથી એની પ્રતીતિ થશે. કાવ્યનો આરંભ આ રીતે થાય છે :
પૂજ્ય ચંપિક ભારતી, આરતી કરીય કપૂર, ગોવિંદના ગુણ ગાઇસિઉં થાઈસિઉ પાતક દૂર. ૧
પણમીય ગુણ-તણુ નાયક દાયક શ્રેય અનંત, ગાઈસિઉં ચીતિ આરાહીય રાહીય -રૂપણિ-કંત.’૧૩
હવે વ્રકિશો૨ કૃષ્ણનું વર્ણન જુઓ :
‘સજલ કિ જલહર નીલઉ પીઅલુ પહિરણ ચીર,
વ૨ સિરિ સોહઇ અલસીય અલસીય વાન શરીર. ૩૪
ઝલિક મરકત કુંડલ મંડલ રવિ-શિશ બેહ,૧૪ ચિહું ભુજે ઝબકિય કેઉર નેઉ૨ શ્રીવત્સ જેહ.’ ૩૫
વેણુનાદ સાંભળીને ધસતી ગોપીઓનું કવિ વર્ણન કરે છે :
મેલ્હીય માણિક મોતીય પ્રોતીય હાર અમૂલ,
ચાલીય શ્રીરંગ સાંભરી તાં ભરી વ૨ સિર ફૂલ. ૪૩
પરતીય કરિ કસતૂરીય પૂરીય સીસ કપૂર, ચાલીય પૂછતી માગ રે ભાગ ભરિયાં સિંદૂરિ. ૪૪