SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨,ખંડ - ૧ રહ્યું. ઉદાહરણ તરીકે સ્થૂલિભદ્રસાગરમાં વર્ષાઋતુનું વર્ણન આવે છે, તેમ નેમિનાથ ફાગુ'માં શ્રાવણ માસમાં નેમિનાથ વિવાહ માટે રથે ચડ્યા એવો ઉલ્લેખ છે. આ રીતે જૈન રચનાઓમાં એક શૃંગારપ્રધાન, મધુર, નાજુક કાવ્યસ્વરૂપને ઉપશમ, સંયમ અને કઠોર તપશ્ચર્યાની કંથા પહેરાવવામાં આવી. “ફાગુ'-સ્વરૂપની આ બંને બ્રાહ્મણ અને જૈન-પ્રણાલિકાઓ લગભગ એક સાથે અસ્તિત્વમાં આવી હોય એમ લાગે છે. વિક્રમ સંવતના ચૌદમા શતકથી છેક સત્તરમાં શતક સુધીમાં અનેક ફાગુરચનાઓ થઈ છે, જેમાં જૈન રચનાઓ વિશેષ છે, જ્યારે બ્રાહ્મણ કે જૈનેતર રચનાઓ ગણીગાંઠી જ છે. જૈન ભંડારોમાં જીવની માફક સાહિત્યકૃતિઓનું જતન થયું એથી જૈન કૃતિઓ સચવાઈ રહી, જ્યારે મધ્યયુગમાં ઈસ્લામના વારંવારના ધસારાઓની સામે બ્રાહ્મણ કે જૈનેતર સાહિત્ય ટક્કર ઝીલી શક્યું નહિ અને એમાંની ઘણી રચનાઓ નાશ પામી. ૩. બ્રાહ્મણ કે જૈનેતર ફાગુઓ આજ સુધીમાં પ્રાપ્ત થયેલી ફાગુ કૃતિઓમાં બ્રાહ્મણ કે જૈનેતર રચનાઓ નીચે પ્રાણે છે : સર્વ ફાગુઓમાં અનન્ય સુન્દરતા ધારતો, હજી સુધી અજ્ઞાતકર્તક રહેલો, વસંતવિલાસ' (ઈ.સ.૧૩૪૪; વિ.સં. ૧૪૦૦ આસપાસ), “નારાયણફાગુ (ઈ.સ.૧૩૮૯; વિ.સં. ૧૪૪૫ આસપાસ), “હરિવિલાસફાગુ' (વિક્રમનું ૧૬મું શતક), ચતુર્ભુજકૃત “ભ્રમરગીતાફાગ' (ઈ.સ. ૧૫૨૦; સં. ૧૫૭૬), અજ્ઞાતકવિ કૃત ‘વિરહદેસાઉરી ફાગ' (વિ.સં.નું ૧૬મું શતક), સોનીરામનો ‘વસંતવિલાસ' (વિ.સં.નું ૧૭મું શતક) અને કાયસ્થ કેશવદાસના “કૃષ્ણલીલા' કાવ્યમાં અંતર્ગત ‘વસંતવિલાસ' એ ફાગુસ્વરૂપનો કાવ્યખંડ, આ ઉપરાંત ભોગીલાલ સાંડેસરાએ એમના પ્રાચીન ફાગુ-સંગ્રહમાં કોઈ અજ્ઞાત કવિરચિત કામીજનવિશ્રામતરંગગીત' (વિ.સં.નું ૧૬મું શતક) અને “ચુપઈ ફાગુ'નો (વિ.સં.નું. ૧૬મું શતક) સમાવેશ કર્યો છે. પણ, પ્રગટ રીતે જ એમનું સ્વરૂપ ફાગુનું નથી, જોકે એમનો વણ્ય વિષય વસન્તના વર્ણનનો છે. એથી એમની અહીં આલોચના કરી નથી. પ્રશિષ્ટ આદિમ ફનુકૃતિ - સર્વ ફાગુકાવ્યોમાં અદ્યાપિ અજ્ઞાતકર્તક “વસન્તવિલાસનું મહત્ત્વ અસાધારણ છે. બ્રાહ્મણ ફાગુકાવ્યોમાં એ નિઃશંકપણે સૌથી પ્રાચીન રચના છે; પણ પ્રાચીન સાહિત્ય અને પ્રાચ્યવિદ્યાના ધુરંધર વિદ્વાનોને મતે એ સમસ્ત ફાગુકાવ્યોમાં સૌથી પ્રાચીન રચના છે. એને કારણે એનું ભાષાસ્વરૂપ અનન્ય મહત્ત્વનું છે; તો કાવ્યતત્ત્વમાં કદાચ સર્વ પ્રાચીન ગુજરાતી રચનાઓમાં એ અગ્રસ્થાને
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy