________________
૨૩૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧
નાટારંગ માંડ્યો રંભા-શું, ઉમિયાજી આનંદે, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં તે મોઘા અતિ છંદ. ૨૬ મણિધર મોહ્યો સહી સ્થળે, રહ્યો મસ્તગ ડોલે. શૂન્ય શબ્દ પંખી થયાં મુખથી નવ બોલે. ૨૭ શંભુ પાસે આવીને વળી પાછી ફરતી; તાન માન રંગ રાગ-શું, ત્રિપુરારીનું મન હરતી. ૨૮ મોહનરૂપે કામિની દીઠી જેની વાર, મૂછગત શંભુ હવા, નહિ શ્વાસ તે વાર. ૨૯ જ
શૃંગાર રસને અનુકૂળ ઉદ્દીપક સામગ્રી ઉમાના દેહમાં ખડી કરી નાયકના અનુભાવ દ્વારા મૂર્ધામાં પરિણમતી બતાવવામાં અહીં ભાલણ આછી પણ શક્તિ બતાવે છે.
નળ-દમયંતીના કથાનકમાં એને ખીલવાનો મોકો મળે છે. શૃંગાર રસના વિપ્રલંભ અને સંયોગ એ બેઉનું નિરૂપણ આ આખ્યાનમાં થયું છે, જેમાં વિપ્રલંભને બહેલાવવામાં અને સારી સફળતા મળી છે. અગ્નિશર્મા નામનો બ્રાહ્મણ પ્રથમ દમયંતી પાસે આવી નળ તરફ એના દિલનું ખેંચાણ કરે છે :
નારી કોએ નહીં તુજ સરખી, નર નહીં કો નલતોલિ. ૮ જ નલ રાજા હર તું પામી, જન્મ સફલ જ હોય. ચૌદ લોકમાંહાં નહીં તે તોલિ રૂપિ બીજું હોય. ૯ નૈષધ નરનિ જો તું નારી, શરખિ શરખી જોડ; નહીંતરિ વિધાતાની લાગિ રૂપ રચ્યાની ખોડ. ૧૦ ૫
થોડા જ શબ્દોમાં એ પ્રસંગને ખડો કરી દે છે અને ત્યાં જ દમયંતીના વિપ્રલંભની તીવ્રતા શરૂ થાય છે. કવિ “રસ શૃંગાર તણું થ્ય અંકુર : વિપ્રલંભ તે રીત. ૧૩' કહે છે. અહીં થોડો નૈષધીયચરિત' મહાકાવ્યના શ્લોકોનો સહારો લઈ પ્રસંગને બહલાવ્યા પછી પોતાના સ્વતંત્ર શબ્દોમાં પણ એ તાદૃશતા લાવવામાં સફળતા મેળવે છે :
બહાર રહીનિ કહિ કામિની, ગુણવંત છિ તું. નવિ ઘટિ; પરનારિના બિ પયોધરનિ સ્પર્શ કરિ છિ શા મટિ? ૧૫ ઇંદુ આવી જઘનનિ એ અડિ છિ નીલજ થઈ.