SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ભાલણ ૨૩૩ ઈ.સ.૧૫૮૦થી ૧૫૫૦ના ગાળામાં—અર્થાત્ મીરાંના સમકાલમાં સાહજિક રીતે આવી રહે છે. ભાલણ હજી એની વિદ્યાર્થી-દશામાં હશે તેવા સમયનો સિદ્ધપુરમાં અને પ્રભાસપાટણમાં રહીને ભીમ પોતાની ‘હિરલીલા-ષોડશકલા' (ઈ.સ.૧૪૮૫) અને ‘પ્રબોધપ્રકાશ’ (ઈ.સ.૧૪૮૯) એ બે રચના કરી જાય છે, તે બંનેમાં–એકમાં ‘મહારિષિ’‘દ્વિજ’ એવો પોતાના ગુરુ માટેનો મમ્ભમ નિર્દેશ અને બીજામાં વેદાંતપારગ ‘પુરુષોત્તમ'નો અને ‘નૃસિંહ વ્યાસ'(પ્રભાસ પાટણના વાસી)નો સ્પષ્ટ નિર્દેશ કરે છે.” આમાંનો ‘મહારિષિ’ ‘દ્વિજ” ને ‘પુરુષોત્તમ’ એકાત્મક કહી શકાય એમ છે. આ ‘પુરુષોત્તમ' એ ભાલણની ઉત્તરાવસ્થામાં સંન્યસ્તપ્રકારના જીવનમાંથી ‘પુરુષોત્તમ મહારાજ’ એવું નામ સ્વીકારવામાં આવેલું હતું એમ બતાવી ભાલણથી અનન્ય હોવાનો વાદ એક સમયે પ્રચલિત કરવામાં આવ્યો હતો, પરંતુ ઇતિહાસપુષ્ટ પ્રમાણોના અભાવે આ વાદ આપોઆપ જ ઊડી ગયો છે, એટલે ભાલણને ભીમનો સમકાલીન કહેવાની પણ આજે સ્થિતિ રહી નથી. ૩૦ ભાલણનાં વતન અને જ્ઞાતિ ભાલણે પોતાનું વતન ‘પાટણ’ (‘ગુજરાત પાટણ’)માં હોય એવો નિર્દેશ એના મામકી આખ્યાન'ને અંતે કર્યો છે; જેવો કે પૂન તણો પાટણમાં ઠામ, એક વાર બોલો જે જે રામ'. ૩૧ ૩૨ ૩૩ એના ‘દશમસ્કંધ’ની એક હાથપ્રતની પુષ્પિકામાં એના તરફથી યા લહિયા તરફથી લખવામાં આવેલી વિગતે આને ટેકો આપ્યો છેઃ ‘તિ શ્રીમાનવતપુરાણે દશમન્યે વાળલીલાપબંધ પાટણનાર મો- બ્રાહ્મણ માત ત સંપૂર્ણા એની બીજી રચનાઓની પુષ્પિકાઓમાં ત્રવાડી’ શબ્દ પણ મળતો હોઈ, એના વતનના નિશ્ચય સાથે એ મોઢ બ્રાહ્મણ' હતો એનું પ્રબળ પ્રમાણ એના જીવનમાં ઉત્તરોત્તર વિકસેલી રામભક્તિનું મળે છે.” મોઢ બ્રાહ્મણો અને વણિકોના ઇષ્ટદેવ ‘શ્રીરામ’ હોવાનું જાણીતું છે. એ ખરું છે કે ભાલણ એની વહેલાંની રચનાઓમાં આરૂઢ રામભક્ત નથી જણાતો. એની ‘સપ્તશતી’ના પદ્યાનુવાદમાં તો એ દેવીભક્ત લાગે, પ પરંતુ સામાન્ય બ્રાહ્મણ સંપ્રદાયનો હોવાનું ‘શૈલસુતાસુત’ ગણેશને ‘સપ્તશતી’ના આરંભ (પહેલી અને દસમી કડી) માં નમન કરી સરસ્વતીને પણ યાદ કરે છે; ‘કાદંબરી’ અને ‘નલાખ્યાન'ને આરંભે શ્રી ગુરુ-ગણપતિ-સરસ્વતીનાં મંગલ કરે છે. ‘નલાખ્યાન’માં એક સ્થળે જેણી પેરે રાખે તેણી પેરે રહીએ ભાલણ-પ્રભુ ૩
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy