________________
૨૨૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
પૈઆલિ પિસી મારિઉ સાંખુઉ, હણિઉ જરાસિંધહાસિ જૂઉ. હાસિ દંત દલ્યા શિશુપાલ, હાસિ રાવણ રોલિઉ કાલ. ૨૨ હાસિ મારિઉ મિ મામો કંસ, અવર દૈત્યનો ટાલિઉ વંસ. તે હાંસું હિત તુઝન કરું. કાલા મૂરિખ! તિ કમ મરું” ૨૩
માહિ થિક બોલઈ દાણવરાય, મનમાં ચીંતિ નવો ઉપાય : જો તૂં કૃષ્ણ ત્રિભુવનકીનાથ, એક વાર દિઉનિ ચુરંગ બાથ! ૨૪
*ગુલિ મરિ તેનિ વિષ કિમ દીજઇં? તું હૂં કહુ કમિ હરીઇં? ઘણિ દિવસિ માહરાં સીધાં કાજ, તાહરાં જૂનાં પૂતિજ ન મેલૂં આજ. ૨૫
માંહિ થિકુ દાણવ ઊછલિ, ત્રિભુવનપતિ ભાગ ઊપિર ધિર. માંહિ થિક જીવ થિઉ હતિ મંદ, તિહારિ પાંજરું લીધૂં કંધિ.
૨૬૯૧
એ જ અહિલોચનનો જીવાત્મા એ પેટી દ્વારકાના રાજમહેલમાં મૂકેલી અને પટરાણીઓના આપેલા ઉત્સાહથી સુભદ્રાએ ખોલતાં સુભદ્રાના ગર્ભમાં રહ્યો અને અભિમન્યુરૂપે અવતાર પામ્યો. કવિ પ્રસંગને બહલાવી શકતો નથી.
અભિમન્યુ જ્યારે ચક્ર ભેદવાની પ્રતિજ્ઞા કરે છે ત્યારે એ વાત સાંભળી સુભદ્રા કલ્પાંત કરે છે એ પ્રસંગે કવિએ પ્રસંગોચિત ગીત ‘રાગ વિરાડી’માં મૂક્યું છે, જે કેટલેક અંશે કરુણરસનો ચમકારો આપી જાય છે :
હૂં કાં વિરાંસીઉ, ધરમરાજન! માહરા ધરમના ધોરી? તેં કાં વિરાંસીઉ? વિરાંસીઉ, કૂંતાના કૂપાર! માહા ધરમના ધોરી! તેં કાં વિરાસીઉ?૧૧૧ ધરમનંદન ઘૂરિ વિમાસુ, મૂઢ મતિ મ લાઈ; ભીમ નિ નકુલુ હિદે વરાસ્યા, બાલિ રણવટ બાંધિ.
૧૧૨
સારંગધર રણિ સંગ્રામ જીતા, યાદવ છપ્પન કોડિ, રણવિટ તેહિન બાંધીð, રાયનિ સુભદ્રા દોઇ કર જોડિ,
માહરા ધર્મના ધોરી, ટૂં કા વિાંસીઉ”
૧૧૩’વગેરે.
કવિએ આ કાવ્યમાં ઠે૨ ઠે૨ સંવાદોની યોજના કરી છે, જેને લઈ થોડીક નાટ્યોચિતતા ખડી થાય છે, અને તેથી જ વાંચવા-સાંભળવાનું દિલ થાય છે. કવચિત્ એ વાણીના અલંકાર પણ પ્રયોજી લે છે, પણ સ્વાભાવિક રીતે જ આવી ગયેલા. એ પણ ઉપમા રૂપક જેવા જ. કવિ કરતાં એક વાર્તાકાર તરીકે એ વધારે દીપે
૯૨