________________
૬
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧
શકાય એવી સેંકડો કૃતિઓ ઉપલબ્ધ છે.
રાસ-આખ્યાન સાથે જેની તુલના કરી શકાય એવો બીજો સાહિત્યપ્રકાર કથા અથવા પદ્ય-વારતા છે. એના મૂળમાં લોકવાર્તા છે, પણ એનું સાહિત્યિક રૂપ આનંદલક્ષી કથાનું છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં કથાનું આનંદલક્ષી રૂપ પૈશાચી પ્રાકૃતમાં રચાયેલી, ગુણાઢ્યકૃત લુપ્ત “બૃહત્કથામાં (તથા “કથાસરિત્સાગર, બૃહત્કથામંજરી' આદિ એનાં સંસ્કૃત રૂપાન્તરોમાં), ધાર્મિક રૂપ પાલિ “જાતકમાં અને “બૃહત્કથા'ના જૈન ધર્મકથા લેખે થયેલા રૂપાન્તર “વસુદેવ-હિંડીમાં તથા નીતિશાસ્ત્રલક્ષી વ્યાવહારિક રૂપ પંચતંત્રમાં જણાય છે. એ કથાઓનો વારસો વિવિધ ફેરફારો અને પરિવૃદ્ધિ સાથે પ્રાકૃત અને અપભ્રંશ દ્વારા ગુજરાતીમાં આવ્યો છે, અને પ્રાચીન કાળથી માંડી ઓગણીસમા સૈકા સુધી એ કથાઓ સામાન્યતઃ પદ્યમાં તેમજ કેટલીક વાર ગદ્યમાંયે મળે છે. ઘણીવાર એ જૂની કથાનું નવસંસ્કરણ હોય છે, તો પ્રસંગોપાત્ત સંસ્કૃત કથાનું કે કથાગ્રન્થનું ગદ્ય ભાષાન્તર કે રૂપાન્તર હોય છે. ઉદાહરણ તરીકે, “કાદંબરી', પંચતંત્ર', “બિલ્ડણકથા', ધૂર્યાખ્યાન', આદિનાં આવાં પદ્ય કે ગદ્યમાં થયેલાં ભાષાન્તર-રૂપાન્તરો છે. એમાં પણ પદ્યરચનાની દૃષ્ટિએ જોઈએ તો, માત્રામેળ છંદોમાં તેમ જ દેશીઓમાં એમ બંને રીતે રચાયેલી પદ્ય વારતાઓ મળે છે. આનંદલક્ષી કથાઓનો સૌથી મોટો લેખક શામળ છે. જોકે એની પછી ઠેઠ અર્વાચીન કાળના સીમાડા સુધી એવી રચનાઓની પરંપરા ચાલુ રહેલી છે. એમાં કંઈક અપવાદરૂપ ગણી શકાય એવી જૈન કવિઓએ રચેલી પદ્યવારતાઓ છે. અલબત્ત, એમાંયે વચ્ચે વચ્ચે આવતા ધર્મોપદેશ અને છેલ્લે નાયક-નાયિકા દીક્ષા લે એવી ઘટનાઓ સિવાય બધું આનંદલક્ષી છે. અર્થાત જૈન કથાલેખકો અને કવિઓએ ધર્મોપદેશ અર્થે જનમનરંજનનું આ સાધન સ્વીકાર્યું હતું. ઠેઠ પાંચમા સૈકા આસપાસ “વસુદેવ-હિંડીના કર્તા સંઘદાસગણિ કહે છે કે “કામકથામાં રક્ત જનોને શૃંગારકથાના વ્યપદેશથી ધર્મ જ કહું છું – અને આગળ ઉમેરે છે કે, વિદ્વજ્જનોના હૃદયમાં નિક્ષિપ્ત થયેલી કામકથા પણ પરિણામવશાત્ ધર્મકથા સાથે સંયોજિત થાય છે.'
પદ, આખ્યાન, રાસ, વારતા આદિની જેમ ફાગુ પણ જૂના ગુજરાતી સાહિત્યનો એક મુખ્ય પ્રકાર છે. એનું નામ જ સૂચવે છે તેમ (સંસ્કૃત h], પ્રાકૃત – ફગ્ગ = ‘વસંત') એ વસંતવર્ણનનો પ્રકાર હોઈ માનવભાવ અને પ્રકૃતિનું સમન્વિત સુભગ આલેખન એ એની એક વિશિષ્ટતા છે. ગુજરાતી ભાષાના ઠેઠ આરંભકાળથી ઓગણીસમા સૈકા સુધી રચાયેલા ફાગુના પુષ્કળ નમૂના મળે છે; વસ્તુ, નિરૂપણ, છંદોરચના આદિની દષ્ટિએ આ સાહિત્યપ્રકારે સાધેલા વિકાસનો ઐતિહાસિક તેમજ નિરપેક્ષ દૃષ્ટિએ અભ્યાસ કરવા માટે પૂરતી સામગ્રી એમાંથી પ્રાપ્ત થાય છે. જેનેતર