________________
નરસિંહ મહેતા ૧૫૩
હું વનમાલી, તું કુસુમગુણવેલ્ય, શીંચું રે અગ્રત દ્રષ્ઠ કરી. પ્રેમની વાડ કરું તમ પાખલૈં, રાખું રે સમરથ બાંહે ધરી. ધન્ય તું સુંદરી, ધન્ય તું સુંદરી, કુસુમમાલ વડે તેં જ બાંધ્યો. ચઉદ ભુવન તણાં બંધન છોડવું, ન જાણું મોહિની તે કાંઈ મંત્ર સાધ્યો. (૧૧૬)
નરસિંહ નારી-અવતારનું, નારીભાવે-સખીભાવે પ્રભુને ભજવાના લહાવાનું મુક્ત કંઠે સ્તોત્ર લલકારે છે :
કોણ પુણ્ય કરી કાર્ય હું અવતરી, શ્રીહરિ દીન થે માન માગે. અમર અવગત્ય કહે, અકલ કોએ નવ્ય લહે, તે કમલાવર કંઠ લાગે. જગનજાગે કરી, જ્યોગધ્યાને ધરી, બહુ તપ આદરી હકષ્ટ, તે માંહે હરિને નિમખ નવ્ય પેખિર્યું. તે હરિ નિરખિર્ચે પ્રેમ-દષ્ટ. (૧૧૭) વળી એ સૌભાગ્યને કવિ ગાય છે : ત્રિભુવન જે પતિ, તે પતિ તાહરો, જોની તું, ભામની, ભાગ્ય તારું. (શું. ૪૨૯). પરબ્રહ્મ ગોવાલાશે રમે, જેનેં જોવા યોગેશ્વર દેહિ દમ... જ્યોગિયાચે ધ્યાને નાવિયો તે તો જનની જસોદાને ધાવિયો. મોટે મુનિવરે નવ જાણિયો તે તો કામિની કર પ્રહી તાણિયો. (૨૯૮)
ગોપીનો આ ભાવ, આ સંબંધ, જ જુદો છે. પાછળથી મીરાંબાઈમાં આ વિવાહસંબંધના ઉદ્ગારો મળે છે. ગોપી કહે છે :
અખંડ એવાતન પામી, એ વર રૂડો. નારસિયાચો સ્વામી ભલે મલિયો, પહેરાવ્યો ચૂડો. (૯૧). ભલે પરણાવી, મારે હરિવર રૂડો, અખંડ પહેરાવ્યો ચૂડો રે. (૧૨૫)
આ “એવાતની જનમજનમનું છે. આ સંબંધ માત્ર આ જન્મનો નથી. “નહિ હમણાંની. પ્રીત્ય છે પહેલી' (૧૯), નરસૈયાચા સ્વામીને સંગ રમવું, પેલા તે ભવનું લેણું' (૮૧), ‘તમારે અમારે પૂરવ સનેહ', – આ “સ્નેહમાં બીજા સકલ સ્નેહ ગળી જાય છે. જ્યણે, હરિ, તમ-શું ધરિયું ધ્યાન, તેને ઉપનું બહ્મજ્ઞાન...
જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ. (૨૦૨)
આથી “હરિ દીઠડે હરિ સરખા થઈએ એમ કહી જે દિન દેખું તે દિન લેખું, બીજું જીવું બાલ્ય પરું' (બીજું જીવ્યું તે દૂર બાળજે) એમ ગોપી કહે છે.
નાથમાં ગુણની ઊણપ છે (નાહોલો નિર્ગુણ રે, નિર્ગુણ રે, નિર્ગુણ, મારી