________________
નરસિંહ મહેતા ૧૫૧
અને સુચારુ લયાન્દોલ દ્વારા પ્રગટ થઈ જાય છે. વસંતની મત્ત વનલીલા આગળ ભ્રમરોની વાત હળવી લઘુશ્રુતિઓની યોજના દ્વારા પ્રસ્તુત થઈ છે. ભ્રમરને ઝૂલતા તો નરસિંહ જ દેખે-દેખાડે ને? જાણે આપણે એનો ભાર અનુભવીએ છીએ. વસંતના કેફનું ચિત્ર ત્યાં પૂર્ણતાને પામે છે. કેટલી બધી ઇન્દ્રિયોને આંખ (ફુલ્લ વેલીઓ), ઘ્રાણેન્દ્રિય (મહોરેલા આંબા), કાન (કોકિલનાદ), સ્પર્શેન્દ્રિય (ઝૂલતા ભ્રમર)ને–. વસંતાનુભવમાં કવિએ કામે લગાડી દીધી છે! ક્યારની કહું છું જે” નો ઘરાળુ અનુનય જીતી લે એવો છે.
એક પ્રસંગ કવિએ બહુ કોમળતાભર્યો કલ્પ્યો છે. ગોપી કહે છે કે કૃષ્ણ પાછલી રાતના આવ્યા એમણે તો વચન પાળ્યું પણ પોતે જાગી નહીં. શું કરું રે સખી, હું ન જાગી−'. રે' માં આખું હૃદય એનું જાણે ફાટી પડે છે. હું ન જાગી’– એ આત્માની ચીસ છે. વિધિવક્રતા તો જુઓ, એની રાહ જોતાં જોતાં જ આંખ મળી ગઈ! એની પાસે દોડી જઈ ક્ષમાપન કરવા તલસે છે. સખી કહે. છે, કદાચને બહાર જ તારા સ્નેહની પરીક્ષા કરતા ઊભા હશે. પણ હવે એ ધન્યતા ભાગ્યમાં રહી છે ખરી? ગોપી કહે છે કે મારે ગાય દહોવાનું મોડું થાય હવે તો. જીવને વળગેલી નાનીનાની સંસારવિગતો મોટું નામ આપવું હોય તો કહો કે કર્તવ્યપથ એ હવે એને ક્યાં છોડે એમ છે?
-
બેની, ઊઠ આલસ તજી, નાથ નથી ગ્યા હજી, બાર્ય ઊભા હશે હેત જોવા.
ધન્ય રે ધન્ય રે, નારસિયો એમ ભણે, અસૂર થાશે મારે ધેન દોવા. પાછલી (૧૧૪)
બીજા એક ગીત-‘કહાં જાઉં રે, વેરણ રાત મલી' (શું. ૧૦૪)માં આરતભરી ગોપીની મૂંઝવણ તીવ્રપણે ૨જૂ થઈ છે. રાત વેરણ બની છે. છતાં બધે તપાસ કરી વળી. કૃષ્ણ કર્યાંય નથી. છેવટે વાંસળીનો સ્વર આવ્યો કૃષ્ણ છતા થયા. પણ મળવાનું તો થયું નહીં જ. થાકીપાકી કાયા જંપી ગઈ. વેણુસ્વર દ્વારા મિલન થયું એટલો આનંદલાભ.
-
કૃષ્ણના મનમાં પોતે નિરંતર કેમ કરીને વસે એ કાંઈ ગોપીની જેવી તેવી મૂંઝવણ નથી. ખંજન નયને જોતી એક નવલ નારીનું આવવું ગોપીઓને પોતાનું અધિકપણું શી રીતે જળવાશે એ અંગે સચિંત કરી મૂકે છે. એક સુંદર ભાવપરિસ્થિતિને નરસિંહે સુરેખપણે ચિત્રાંકિત કરી છે.
પાનડી પટોલિયે આ કોણ, બાઈ રે, નવલ નાર્ય કોએ દીશે રે?