________________
૧૪૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨, ખંડ - ૧
કેવી છે તો “મુખ ભર્યું એનું મોતીએ. નયણે કાજળરેખ. ચૂડી મુદ્રિકા ને બેરખી, મુખે ચાવંતી તંબોળ, વૃન્દાવનમાં સંચર્યા જી રે સજીને શણગાર સોળ.” અને કૃષ્ણ?
મોર મુકુટ વહાલે શિર ધર્યો, મકરાકૃત કુંડળ કર્ણ. પીતાંબર વહાલે. પહેરિયું, જાણે ઉપમા મેઘ જ વર્ણ. કેસરનાં તિલક શિર ધર્યો, પહેર્યો ગળે ગુંજાનો હાર, આવાં બે મોઢામોઢ આવી ઊભાં. હવે?
પાલવ સાહ્યો પીતાંબરે : દાણ આપ ને જાની નાર. મુખ આડો પાલવ ધરી રાધા ના પાડે છે :
મુખ આડો પાલવ ગ્રહી, તાણ્યાં ભવાંનાં બાણ; નયનકટાક્ષે નિહાળીને બોલી, પ્રભુ, શાનાં માગો છો દાણ? નવ રે દીઠું, નવ સાંભળ્યું, જી રે અમને શાને વિપરીત? દાણ માંગો કેવાં દૂધનાં, કહોને કિયા તે દેશની રીત? કૃષ્ણની રંજાડ હદ વટાવે છે :
ગંગા ને જમુના વચે જી રે ચોકી બેસે આદ; માણસ જોઈને માગીએ રે જેવો માલ તેવી રે જકાત. સાંભળીને રાધારાણીએ હૈડે રીસ આણી પણ છબીલે મોહિની નાખી ત્યારે એ હાર આપું હૈડા તણો' એવી તૈયારી બતાવે છે અને પોતાને મોડું થાય છે એમ કહી વેણુ વગાડવા વિનવે છે. કૃષ્ણ ક્યાં લેવા આવ્યા હતા? એ તો અખૂટ આપવા આવ્યા હતા.
કૃષ્ણજી પ્રત્યે બોલ્યાં રાધિકા, જી રે ખોટી થાઉં છું હાલ. મન મનાવોને માવજી, વાઓને વેણા રસાળ. કૃષ્ણજીએ વેણ વાઈને જી રે રાધે કીધાં રળિયાત. સ્નેહસમાધિમાં સમરસ થયેલાં રાધાકૃષ્ણની મૂર્તિ આગળ કાવ્ય પૂરું થાય છે.
રમતિયાળ શૈલીમાં શરૂ થયેલું અને ગતિશીલ ચિત્રો રમતાં મૂકતું રાધાના વૈશ્વિક દર્શનનું અને રસસમાધિમાં લીન રાધાકૃષ્ણના આલેખનનું આ કાવ્ય નરસિંહની એક ઉજ્વલ સિદ્ધિ રૂપ છે.
ગામડાંના અશિક્ષિત જનોમાં લોકપ્રિય થયેલું, જીભે ચઢેલું, આ કાવ્ય કદાચ ‘દાણલીલા એ અતિચવાઈ ગયેલા શીર્ષકને કારણે અથવા તો જાગો, જાગો રે