________________
નરસિંહ મહેતા : ૧૩૧
આખી રાત વિનવણી ચાલે છે એમાં આ બધા રંગ આવે છે. પણ તેમાં મુખ્ય તો એના હૃદયની કોમળતાનો છે. ‘હું રે હળવો પડ્યો, તારા ગુણલડા કોણ ગાશે?” “નંદના નંદ, કાં વાર લાગે ઘણી?” મેં ભયો, તો હવે કાં તજો?” મૂક માં, મૂક માં, ગ્રહ્યો રે હાથ’. મુંને અપજશ તો તૂને અપજશ થશે'. કુસુમની માળ તાં કઠણ શું થૈ રહ્યો?” રસ આપેશ તો રસ ઘણો વાધશે.' પોતે કહે છે કે હું દુઃખ પામું તે તો મારે પામે' અને પૂરું જાણે છે કે “અકળિતાં ચિરત તારાં મુસિર.'
માગશરની રાત્રિ પૂરી થવા આવી, ‘હરણલી આથમી'- મૃગશીર્ષ નક્ષત્ર આથમ્યું, દીવાની જયોત ક્ષીણ થઈ. એ છેવટની ધા નાખે છે ઃ નોહે કૌસ્તુભ કે વૈદૂર્યમાળા, ઊજળાં ફૂલ ને સૂત્રનો તાંતણો, તેણે શું મોહી રહ્યો કૃષ્ણ કાળા?' ત્યાં જ ‘કેશવે કંઠથી હાર કરિયો વડો, પ્રેમે આરોપ્યો નરસૈઅગ્રીવા’...
સંવત પંનર બારોતર સપતમી ને રવિવાર રે, માગસર અજુઆલે પખ, નરસૈંને આપ્યો હાર રે.’
આત્મચરિત્રનાં ચાર આખ્યાનકો કાવ્ય તરીકે નરસિંહના જીવનના કસોટીભર્યા ચાર પ્રસંગો વિશે નરસિંહે પોતે ગાયું છે અને પછી અનેક કવિઓએ તે પ્રસંગોને વિસ્તારીને કાવ્યરચનાઓ કરી છે. ભક્તકવિ પોતે જ પોતાને અંગે ચમત્કારનો ઉલલેખ કરે એવા દાખલાઓ મળે છે. સંતો વિશે બીજા લોકો ચમત્કારો વર્ણવે છે તે તો જુદા. નરસિંહ વિષે શ્રાદ્ધસામગ્રી લેવા પોતે બજારમાં ગયો ને કીર્તનમાં રોકાઈ રહ્યો અને ઘેર ભગવાને નરસિંહવેશે વિધિ ભોજન વગેરે પાર પાડ્યું એવા ચમત્કારનું પ્રેમાનંદનું કાવ્ય મળે છે.
ચમત્કાર કથા અંગેનું મનોવિજ્ઞાન અધ્યયન માગી લે છે. કોઈક દૃઢ પ્રતીતિને કલ્પકતાથી આકાર આપવામાં આવતાં ચમત્કારકથા જન્મે છે. નરસિંહ અંગેના આર્થિક મદદના ચમત્કારો એને માટે સહાનુભૂતિ ધરાવનારા ધનિક મિત્રોની મદદ એને મળી હશે- અને એ પોતે તો સૌમાં પરમેશ્વરને જોનારો હતો એટલે ભગવાને જ એ કસોટીના પ્રસંગો પાર પાડ્યા એમ એણે અનુભવ્યું હશે, એ રીતે ઘટાવી શકાય. પુત્રનો વિવાહ'માં ભગવાનને બધી જાને નહીં, પોતે જ જોયા છે એમ એ કહે પણ છે.
ચારે કૃતિઓ મુખ્યત્વે નરસિંહના પ્રસિદ્ધ ઝૂલણામાં છે. ઝૂલણા ૫૨ હાથ બેસતો આવે છે. નરસિંહ પ્રાસ મેળવે જ છે. પ્રાસ નહોય ત્યાં જરી થોભી જઈ વિચાર કરવો સારો. હારસમેનાં પદોમાં છઠ્ઠાને અંતે આપી’ સાથે ‘સાંપી' (‘સોંપી’ ઉપરાંત એ રૂપ પણ છે) નો પ્રાસ છે. પ્રેમાનંદમાં પૂછે' નો અવશ્ય ‘શું છે'થી પ્રાસ હોય છે તે નરસિંહના ‘મામેરું'(૨૪-૩)માં પણ જોવા મળે છે. ભાષાની રૂઢિઓ ‘નાગરી