________________
નરસિંહ મહેતા ૧૧૩
મૂક્યો એ વાત નામદેવ અને નરસિંહ બંને કરે છે. બંને પોતાને અંગે થયેલા ચમત્કારની સ્વમુખે વાત કરે છે. પણ આવી વસ્તુઓ પણ આ બે જ નહીં, સામાન્ય રીતે અનેક ઉત્તમ ભક્તો અંગે હોવા સંભવ છે. કૃષ્ણ માટે વલવલાટભરી પ્રાર્થના બંનેના હૃદયમાંથી ઊઠે છે. પ્રભુમય જીવનની – અધ્યાત્મજીવનની અનેક વસ્તુઓ વિશે ઉક્તિસામ્યો પણ અહીંતહીં જોવા મળશે. પણ એમાં બીજું હોઈ શકે પણ શું? પ્રભાવ નીચે આવ્યા વગર પણ આમ બનવું શક્ય છે. “વિઠ્ઠલ માઉલી, કૃપેચી સાવલી' (નામદેવગાથા, ૪૭૧,” અને “માહરે માત તું, ભ્રાત તું, ભૂધરા,’ એવાં અનેકાનેક ઉગારસામ્યો ન હોય તો જ નવાઈ. કેટલાંક તો સંસ્કૃત ( વમેવ માતા આદિમાંથી દરેકને મળે, અથવા સહેજે સૂઝે એવાં હોવાનાં, “હરિશ્ચંદ્ર રાજા હોતા સત્ત્વગુણી, વાહાતસે પાણી ડોંબાઘરી' અને પંડુપુત્રની કસોટી (૨૦૪૬-૭) – આવી વાત ઘણાઓની રચનામાં સહેજે આવે. સંતનાં લક્ષણો લગભગ બધા જ ભક્તકવિઓ શબ્દબદ્ધ કરે છે. “પાહા પદારા જનનિયે સમાન, પરદ્રવ્ય પાષાણ હણોનિ માની.પરાકારણે પ્રાણ વંચિ જો સર્વથા, જાણે પરવેથા કળકળોની' (૧૮૬૬). – ભક્તનાં સામાન્ય લક્ષણોમાંથી થોડાંક આવાં કોઈકોઈમાં સરખાં પણ નીકળવાનાં. નામદેવગાથા' ધ્યાનપૂર્વક વાંચવાથી જણાશે કે બંને ભક્તકવિઓના અવાજ આગવા છે. બંનેના અભિગમમાં અને રચનાની ઇબારતમાં નિજનિજની લાક્ષણિકતાઓ છે. બંનેને અભીષ્ટ કેટલીક પાયાની વસ્તુઓ વિશે બંનેના ઉદ્દગારો સરખાવવા જેવા છે. હરિના ભક્ત તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે'-નરસિંહ કહે છે. નામદેવે કહ્યું છેઃ “આમ્હાસિ મુક્તતા નકો બાપા' (૧૫૧૧). પણ પછી સરસ રીતે વાત સ્પષ્ટ કરે છે, તું મળ્યો એટલે સંસારની વ્યથા ટળી, પણ નવી એક ચિંતા જાગી. પાંડુરંગ મુક્તિ આપી બેસશે, પછી આ સત્સંગ ક્યાંથી મળશે? આ અમૃતસંજીવની જેવી હરિકથા કાને સાંભળવા ક્યાંથી મળશે? એને માટે તો અનંત જન્મ જોઈશે. “અનન્ત જન્મ હોયે યાચિ લાગી' (૧૫૭૩). નરસિંહ પોતાની રીતે વાત મૂકે છે : જે અન્ય લોકમાં જાય પ્રેત) તેને મુક્તિ ઈષ્ટ-પ્રેતને મુક્તિ તો પરમવલ્લભ સદા'. પણ જેને આ લોક છોડવાનો ખ્યાલ જ નથી, પણ જન્મોજન્મ લીલારસ ગાવો છે, તેને મુક્તિની ક્યાં જરૂર રહી ? સગુણનિર્ગુણ અંગે બંને જણા પોતપોતાની રીતે માર્મિક નિરૂપણ કરે છે. નામદેવ કહે છે : “નિર્ગુણ સાંડનિ હાવે જી સગુણ, ઐસે તુમ્હાં કોણ બોલિવેલે’- નિર્ગુણ છોડીને સગુણ થવું એવું તને કોણે કહ્યું હતું? પોતાની કરણી તું મનમાં લેતો નથી! સુખે બંને એકરૂપ હતા. આ સૃષ્ટિ શું કરવા વિસ્તારી? યુગયુગાન્તર સુધી શ્રીહરિની સમીપ હું હતો. તું ત્યાં હું અને હું ત્યાં તું ‘તુમ્હીં તેથૈ આહીં, આહીં તેથૈ તુહીં, પણ હવે તો