SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય -૧ (ઈ.સ. ૧૪૫૦ -૧૬૦૦) ૮૫ વડતપ ગચ્છિ ગુણરયણ નિધાન, સાહુરયણ પંડિત સુપ્રધાન, પાર્શ્વચન્દ્ર નામે તસુ સીસ, તિણિ કીધો મનિ આણી જગીસ. પાર્શ્વચન્દ્રસૂરિ હમીરપુર નગરના પ્રાગ્વેશના વેલ્ડંગશાહના પુત્ર હતા. એમનો જન્મ ઈ.સ. ૧૪૮૧માં થયો હતો. એમની માતાનું નામ વિમલાદે હતું. પાર્શ્વચન્દ્રે નવ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. ઈ.સ. ૧૫૦૯માં તેમને આચાર્યપદ આપવામાં આવ્યું હતું. તેઓ એક સમર્થ મહાન જૈનાચાર્ય હતા અને ઈ.સ. ૧૫૪૩માં એમને ‘યુગપ્રધાન’નું બિરુદ આપવામાં આવ્યું હતું. જોધપુરમાં તેઓ કાળધર્મ પામ્યા હતા. એમણે ઘણા રાજવીઓને અને અન્ય રજપૂતોને ઉપદેશ આપ્યો હતો. એમના પરથી પાર્શ્વચન્દ્ર ગચ્છ (પાયચંદ ગચ્છ) નીકળ્યો હતો. પાર્શ્વચન્દ્રસૂરિએ વિવેકશતક, દૂહાશતક, એષણાશતક ઇત્યાદિ શતકના પ્રકારની અને પાક્ષિકછત્રીશી ઇત્યાદિ છત્રીશીના પ્રકારની કૃતિઓની રચના કરી છે. તદુપરાંત સાધુવંદના, અતિચાર ચોપાઈ, ચરિત્ર મનોરથમાલા, શ્રાવક મનોરથમાલા, આત્મશિક્ષા, જિનપ્રતિભા, સ્થાપના વિજ્ઞપ્તિ, અમરદ્વાર, સપ્તતિકા, નિયતાનિયત, પ્રશ્નોતર પ્રદીપિકા, બ્રહ્મચર્ય, દશ સમાધિસ્થાન કુલ, સ્તર ભેદી પૂજા, અગિયાર બોલ સઝાય, વંદનદોષ, આરાધના, મોટી, આરાધના-નાની, ઉપદેશરહસ્ય ગીત, વિધિવિચાર, વીતરાગ સ્તવન, શાંતિજિન સ્તવન, રૂપકમાલા, બંધકચરિત્ર, કેશિ પ્રદેશિબંધ, સંવેગબત્રીસી, સંવકુલક ઇત્યાદિ ઘણી નાનીનાની કૃતિઓની રચના કરી છે. એ બધી કૃતિઓમાં રાસ કે પ્રબંધ કે ચરિત્રના પ્રકારની કૃતિ કરતાં આરાધનાના વિષયની કેટલીક કૃતિઓ કદમાં મોટી છે. એમની એક કૃતિ ૪૦૬ કડી જેટલી મોટી છે. શ્રી પાર્શ્વચન્દ્રસૂરિએ આ રીતે ચરિત્રાદિ વર્ણનાત્મક કૃતિઓ કરતાં શાસ્ત્રીય નિરૂપણની ઉપદેશના પ્રકારની કૃતિઓનું સર્જન સવિશેષ કર્યું છે. આત્મશિક્ષામાં કવિ કહે છે : ૨ે અભિમાની જીવડા, તું કિમ પામિસિ પાર, લઘુ છલ નિરખે પારકા, તું તિહનો ભંડાર. કવિની કેટલીક કૃતિઓની કલશની પંક્તિઓ – અંતિમ ચાર પંક્તિઓ-પ્રાસાનુ પ્રાસયુક્ત અને કવિના ભાષાપ્રભુત્વના નમૂનારૂપ હોય છે. ઉ.ત. સાધુવંદનાની કળશ ની પંક્તિઓ જુઓઃ ઈમ જનવાણી જોઈ હિયઈ આણી મઈ ભણ્યા, ભવતરણ તારણ, દુ:ખવારણ સાધુ ગુરુ મુખિ સુણ્યા, ઈમ અચ્છઇ મુનિવર જેય હોસ્યઇ, કાલિ અનંતઇ જે હુઆ, તે સત છંદિહ શ્રી પાસચંદઈ મનિ આણંદઇ સંથુઆ.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy