________________
માત્ર નાણાં ખર્ચવાની શક્તિ અને કામ કરવાની ઈચ્છાવડે આ ગ્રંથ સરખાં પુસ્તકેની સફળતા સિદ્ધ થતી નથી. ગ્રંથકારે અગર તેમના સંબંધીઓને સંપૂર્ણ સહકાર મળે તે જ એ પ્રયોજન યથાયોગ્ય થાય. તે માટે ગુજરાતી ભાષા તેમ જ સાહિત્યના શુભેચ્છકોને બનતી સહાયતા આપવા નમ્ર વિનંતિ છે. નાના મોટા સર્વ ગ્રંથકારેને અહીં સ્થાન મળે અને કઈ લાયક લેખક અંધારામાં ન રહી જાય એ સંચાલકોની તીવ્ર ઈચ્છા છે અને એ ફળીભૂત થવા યથાશક્તિ પ્રયાસ કરવામાં આવે છે એ વાંચનાર જોઈ શકશે.
અમદાવાદ, તા. ૪–૧૦–૩૪
વિદ્યાબહેન ર. નીલકંઠ