SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી ને. જુનાં કવિઓએ લખેલાં મહાભારતનાં જુદાં જુદાં પર્વો મેળવી આખું મહાભારત સંપાદન કરવાની તેઓ હોંશ રાખે છે; અને તેમાંનું પ્રથમ આદિપર્વ સભાપર્વનું કાર્ય જોતાં, તે પુસ્તક ગુજરાતી સાહિત્યમાં કિંમતી ભરતી કરી, સંશોધન પુસ્તકોમાં ઉંચું સ્થાન લેશે, એનિઃસંદેહ કહી શકાય. વસન્ત, બુદ્ધિપ્રકાશ, શુદ્ધાત, પાઝપીયૂષ અને અઠવાડિક“ગુજરાતી”માં એમના લેખે વખતોવખત આવ્યા કરે છે. સત્તર વર્ષની ઉંમરે એમણે પિતાનું પ્રથમ પુસ્તક બહાર પાડયું હતું. ગીતાના સુપ્રસિદ્ધ શ્લોક-લાજે વાષિરતે મા પુ વાતાવર” એ સૂત્રાનુસાર તેઓ ફળની આશા રાખ્યા વિના નિર્ણત ધ્યેયને પહોંચવા સતત પ્રયત્ન કર્યો જાય છે; અને તેમાં એમને ભગવદુગીતા અને શ્રીમદ વલ્લભાચાર્યના ષોડશ ગ્રંથમાંથી પુષ્કળ પ્રેરણા અને બળ મળતાં રહે છે. તે કારણે પિતાનું મંતવ્ય વ્યક્ત કરવામાં તેઓ સંકેચ પામતા નથી અને તે એમના લખાણની વિશિષ્ટતા છે. .:: એમની કૃતિઓ :: પુસ્તકનું નામ, પ્રકાશન વર્ષ. ૧. સૌન્દર્યપદ્ય (સંસ્કૃત ત્રણ ટીકા સાથે) સને ૧૯૨૨ સાનુવાદ. [બોરસદના ચીમનલાલ હરિશંકર શાસ્ત્રી સાથે ] ૨. છેડશ ગ્રન્થ-વલ્લભાચાર્યકૃત , ૧૯૨૬ (સમલકી અનુવાદ સહિત.). ૩. સંસ્કૃત શબ્દરૂપાવલી – નવી જૂની મિશ્ર પદ્ધતિ , ૧૯૨૬ (શબ્દકોશ સાથે) ૪. પદ્ય સમૂહ – સટીક-(મેટ્રિક ગુજરાતી કાવ્યો) છે ૧૯૨૭ ૫. વલ્લભાખ્યાન કાવ્ય-ગોપાલદાસકૃત ૬. પ્રેમની પ્રસાદી-માલવિકાગ્નિ મિત્રને સમશ્લોકી અનુવાદ. ,, ૧૯૩૨ ૭. શ્રી વલ્લભાચાર્યજીનું જીવનચરિત અને સાંપ્રદાયિક ગ્રન્થ સાહિત્ય,, ૧૯૩૩ ૮. મહાભારત (ગુજરાતી પદ બન્ધ) ગ્રન્થ ૧ લે ,, ,, ( કવિ હરિદાસકૃત આદિપર્વ અને કવિ વિષ્ણુદાસકૃત સભાપર્વ-વિવેચન સહિત) ૯. મહાભારત ( ગુજરાતી પદ બન્ધ) ગ્રન્થ ૨ જે ,, ૧૯૩૪ (કવિ નાકરકૃત મેટું આરણ્ય પર્વ વિવેચન સહિત.) ક ૧૯૩૧ ૧૫૪
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy