________________
પ૧૭
જે દાખલાઓ હમણાં જ આપવામાં આવ્યા છે તેની દષ્ટિએ ધારે કે આપણે પ્રશ્ન કરીએ કે આ અનુકરણ કરનાર કોણ છે ?
ભલે, તમારી મરજી.
વારુ, ત્યારે અહીં ત્રણ ખાટલાઓ પડ્યા છે; એક વિશ્વમાં (in nature) અસ્તિત્વ ધરાવે છે તે, આપણે કહી શકીએ કે જેને ઈશ્વરે સર્યો છે–કારણ બીજે કાઈ તે એને સર્જક હોઈ ન શકે.
ના. એક બીજો તે સુતારની કૃતિ છે? હા. અને ત્રીજે ચિત્રકારની કૃતિ છે? હા.
ત્યારે ત્રણ જાતના ખાટલાઓ થયા, અને તેના પર ત્રણ કારીગરે અધિકાર ભેગવે છે; ઈશ્વર, બીજે ખાટલાને ઘડનાર અને ત્રીજે તે ચિત્રકાર–ખરું ને ?
હા, એ ત્રણ ખરા.
() ઈશ્વરે કાં તે પોતાની ઈચ્છાનુસાર કે કાં તો આવશ્યકતાને લઈને* વિશ્વમાં એક ખાટલે કર્યો, અને તે એક જ; બે અથવા તેથી વધારે એવા આદર્શ ખાટલાઓ કદી હતા નહિ, તેમ ઈશ્વર કદી કરશે પણ નહિ,
એમ શાથી?
કારણ એ જે માત્ર બે જેટલાય બનાવે, તે એ બેની પાછળ વળી ત્રીજો ફૂટી નીકળે, જે એ બંનેના તત્વનું સ્થાન લે, અને તે પેલા બે નહિ પણ પેલો ત્રીજે એ આદર્શ ખાટલે થશે. +
* એટલે કે પ્રમાણગત આવશ્યકતાનું સ્થાન ઈશ્વરથી ઊંચુ છે. x 240142911 E14, The argument of "Tritos Anth
ropos."