SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ જાતનાં સુખે હેય એમ દેખાય છે. એક ખરું અને બે (૩) ખોટાં જુલમગાર એટલે સુધી જાય છે કે ખોટા સુખની હદને પણ એ ઉલ્લંઘી જાય છે; નિયમ તથા બુદ્ધિના પ્રદેશમાંથી એ નાસી છૂટેલે હોય છે, અને જે કેટલાંએક ગુલામી સુખો એના ઉપગ્રહ જેવાં છે તેની સાથે એ વસે છે; અને એની અધમતાનું માપ ઉપમા દ્વારા જ વ્યક્ત કરી શકાય એમ છે. એટલે? મેં કહ્યું : મૂડીવાદીથી જુલમગાર ત્રીજે નંબરે છે એટલું હું સ્વીકારી લઉં છું; (કારણુ) પ્રજાસત્તાવાદી મધ્યમાં હતો, ખરું ને? હી. અને જે કંઈ ઉપર કહેવાઈ ગયું છે એમાં સત્ય હોય, તે મૂડીવાદીના સુખથી, સત્યના દષ્ટિબિંદુએ જે સુખની છાયા ત્રણ ગણી દૂર છે એવી છાયાને એ વરે છે! એવીને એ વરે છે. અને રાજવી (માનવ) કરતાં મૂડીવાદી ત્રીજે આવે છે; (૩) કારણ કે આપણે રાજવીને પહેલે ગણીએ છીએ, અને (પછી) શિષ્ટશાસનવાદી ? હા, એ ત્રીજે છે ત્યારે જુલમગાર સાચ્ચા સુખથી ત્રણ ગુણ્યા ત્રણના આંકડા જેટલા અંતરે વસે છે ? એ સ્પષ્ટ છે. ત્યારે જુલમગારના છાયા જેવા સુખનું લંબાઈની સંખ્યાથી માપ કાઢયું હોય, તો તે એક સપાટ આકૃતિ થશે. જરૂર. * “ ફિસ” નામના સંવાદમાં પણ રાજવી પુરુષથી જુલમગાર નવ ગણે દૂર વસે છે એમ કહ્યું છે,
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy