SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ એટલે ? એના દુઃખની છેલ્લી કાટિએ હજી પહોંચ્યા હાય એમ હું માનતા નથી. ૪૮૩ ત્યારે (એનાથી વળી) વધારે દુ:ખી કાણુ છે? હું જેને વિશે હવે વાત કરવાનો છું તે. કાણુ એ? (૪) જેને સ્વભાવ જુલમી છે, અને જેના ઉપર ખાનગી જીવન ગુજારવાને ખલે, જાહેરમાં જુલમગાર થવાની વધારાની મનસીખીના શાપ ઉતરી આવ્યા હાય તે. જેટલું કહેવાઈ ગયું છે તે ઉપરથી હું સમજી શકું છું કે તમે ખરા છે. મેં જવાબ આપ્યોઃ હા, પણુ આ વિશિષ્ટ દલીલમાં તમારે માત્ર અટકળ બાંધવી ન જોઈએ, પરંતુ જરા વધારે ચાક્કસ થવાની જરૂર છે; કારણ ઋષ્ટ અને અનિષ્ટને લગતા આ પ્રશ્ન ખીજા તમામ પ્રશ્નો કરતાં સૌથી વધારે મહત્ત્વના છે. તેણે કહ્યું; સાવ સાચું. મારા અભિપ્રાય પ્રમાણે આ વિષય ઉપર પ્રકાશ નાંખે એવું (૩) એક ઉદાહરણ મને આપવા દો. તમારું ઉદાહરણ કયું છે? નગરરાજ્યેામાં વસતી ધનવાન વ્યક્તિઓનું ઉદાહરણ, કે જેમની પાસે ઘણા ગુલામા હોય છેઃ તમે એ ઉપરથી જુલમગારની સ્થિતિને ખયાલ બાંધી શકશા, કારણ એ અને ગુલામે રાખે છે: તફાવત માત્ર એટલે જ છે કે એ ગુલામે વધારે પ્રમાણમાં રાખે છે. હા એ તફાવત છે. તમે જાણી છે કે એમનાં જીવન સુરક્ષિત હાય છે તથા ગુલામે તરફથી એમને કાઈ પ્રકારના ભય નથી, ખરું ને ? એમને ભય શાના હોય?
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy