SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૪૫૧ તેણે કહ્યુઃ તદ્દન ખરુ ત્યારે મારા મિત્ર કહા જોઉ –જુલમી રાજ્ય કઈ રીતે ઉત્પન્ન થાય છે?—પ્રજાસત્તાવાદના મૂળમાંથી એ નીકળે છે એટલું તે સ્પષ્ટ છે. એ સ્પષ્ટ છે. અને મૂડીવાદી રાજ્યમાંથી જે રીતે પ્રજાસત્તાક રાજ્ય નીળી આવે છે (વ) એવી જ રીતે શું પ્રજાસત્તાક રાજ્યમાંથી જુલમી રાજ્ય નથી નીકળી આવતું—એટલે કે લગભગ એવી રીતે? કેવી રીતે? ધનનેા અતિરેક—એ મૂડીવાદી રાજ્યેષ્ટ તરીકે સ્વીકાર્યં હતું અને એને લીધે એ ટકી રહેતું હતું—હું ખરું કહું છું ને? હા. અને ધનની અતિક્ષુબ્ધચ્છા તથા પૈસા મેળવવાની ખાતર બીજી બધી વસ્તુઓ પ્રત્યેની બેદરકારી જ વળી મૂડીવાદી રાજ્યના નાશનું કારણ હતું ? ખરું. અને પ્રજાસત્તાક રાજ્યને પણ પાતાનું વિશિષ્ટ ઇષ્ટ છે, જેની અતાપણીય ઈચ્છાને લીધે એના ઉચ્છેદ થાય છે? એ ઇષ્ટ કર્યું? મેં જવાબ આપ્યાઃ જે સ્વાતંત્ર્ય, પ્રજાસત્તાક રાજ્યમાં તે તમને જણાવે છે તે પ્રમાણે, (૪) રાજ્યની કીતિપ્રદ વિશિષ્ટતા છે! અને આને જ લઈ ને કુદરતી અવસ્થામાં જેવા સ્વતંત્ર માણસ મળી આવે તેવા સ્વતંત્ર માણસ માત્ર પ્રજાસત્તાક રાજ્યમાં જ વસવાના અનુગ્રહ કરશે. હા, દરેકના મેાંમાંથી આ ઉક્તિ સાંભળીએ છીએ. હું એમ કહેવા જતા હતા કે બીજી વસ્તુઓ પ્રત્યેની બેદરકારી × કુદરતી અવસ્થા એટલે જંગલી અવસ્થા ઃ જીએ ઉપર કુદરત અને સ્વભાવ માટે રૃ. ૧૭૫-ક : ૪૧૫-૬ વ, તથા ફૂટનોટ અને પૃ.૨૦૦ ઉપરની કુટનેટ,
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy