SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યાં કરવી ? માબાપ વગરના કોઈ છોકરાના વાલી તરીકે કે એવા કોઈ સંજોગે, જેમાં અપ્રમાણિક રીતે વર્તવાની એને કઈમેટી તક મળી જતી હોય, એવા પ્રસંગે તમારે એનું નિરીક્ષણ કરવું જોઈએ. હા–આ. તેવે વખતે એટલું તદ્દન સ્પષ્ટ થઈ જશે કે સામાન્ય વ્યવહારમાં એને જે પ્રમાણિકપણુની પ્રતિષ્ઠા મળેલી હોય છે તેમાં એ માત્ર બળજબરીથી પાળેલા સગુણ વડે જ પિતાના દુષ્ટ મનેવિકાને દાબલો હોય છે; () નહિ કે એ મનોવિકારે ખરાબ છે તથા બુદ્ધિ વડે એને શાંત કરવા જોઈએ પણ માત્ર પોતાની માલમિલકત ભયમાં આવી પડે એ કારણે તથા બીક અને જબરદસ્તીની રીતે એમનાં પર દાબ મૂકવા ખાતર ! * અચૂક હા, ખરેખર, મારા પ્રિય મિત્ર, પરંતુ બહારથી ગમે તેમ દેખાય, તો પણ જ્યારે જ્યારે પારકા પૈસા એના હાથમાં આવે, ત્યારે ત્યારે તમે જોઈ શકશો કે ભમરાની (હરામનું પચાવી પાડવાની) સ્વાભાવિક ઈચ્છાઓ સામાન્યતઃ એવી વ્યક્તિમાં હોય છે જ. હા, અને એનામાં એ ઉત્કટ રૂપે હશે. ત્યારે એ માણસ પોતાની જાતની સાથે વિગ્રહ કરતા હશે? એ એક નહિ પણ બે માણસે હશે; પણ સામાન્ય રીતે એની ખરાબ ઇચ્છાઓ પર (૬) એની સારી ઈચ્છાઓનું રાજ્ય પ્રવર્તતું હશે. ખરું. આ કારણેને લીધે આ માણસ બીજા ઘણાઓ કરતાં વધારે પ્રતિષ્ઠિત ગણશે; અને છતાં સર્વસંમત તથા સુસંગત આત્માને * સામાન્ય માણસ સગુણ પ્રત્યે બુદ્ધિથી નહી પણ બીકથી દોરાય છે તે શેિ જુઓ “ફીડે.” મિતાહાર અને શૌર્યમાં પણ તેઓ બીકના માર્યા એ સિદ્ધાન્તને સ્વીકારે છે,
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy