SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ret પરિચ્છેદ ૭ જો તમારી મરજી હાય તા—ભલે તમે કરે. તો હું એમ કહું કે જ્યારે સત્ય હકીકતથી એ અજાણ હશે, (વ) ત્યારે ખુશાતિયાએના કરતાં પોતાના પિતા, માતા તથા પેાતાનાં માની લીધેલાં સગાંને એ વધારે માન આપશે, તેમના વિરુદ્ધ કંઈ પણ ખેલવાનું કે આચરવાનું અથવા જરૂરને પ્રસંગે તેમના પ્રત્યે બેદરકાર થવાનું વલણ તેનામાં એઠું રહેશે, અને કાઈ અગત્યની બાબતમાં એમની અવજ્ઞા કરવાનું એને મન નહિ થાય. નહિ થાય. પરંતુ જ્યારથી એને ખબર પડે ત્યારથી તેમના પ્રત્યેનાં માન તથા લાગણી પેતે એછાં કરી નાંખશે, અને પેાતાના ખુશામતિયાએને વધારે વળગતા જશે એમ હું કહ્યું છું; તેના પરની એમની અસર ઘણી જ વધી જશે: (૪) એ હવે એમની રહેણીકરણી સ્વીકારશે તથા ખુલ્લી રીતે એમની સોબતમાં કરશે, અને પેાતાનાં માની લીધેલાં માબાપ કે સગાંએ માટે કદી કશી પણ તકલીફ નહિ ઉઠાવે; સિવાય કે એનેા સ્વભાવ અત્યંત સારા હોય. વારુ—એ બધું તદ્દન શક્ય છે. પરંતુ આ દૃષ્ટાંત ફિલસૂફીના અભ્યાસીને કઈ રીતે લાગુ પડે છે? આ રીતે; ધર્મ અને પ્રતિષ્ઠાના અમુક સિદ્ધાન્તા નાનપણમાં આપણને શિખવવામાં આવ્યા હોય છે, અને તેનું પાલન કરતાંકરતાં તથા એને માન આપતાં એના પિતૃતુલ્ય અધિકાર નીચે આપણને ઉછેરવામાં આવે છે, એ તમે જાણે છે. એ ખરું છે. (૪) ( બીજી તરફ ) આત્માને આકર્ષે તથા એની ખુશામત કરે તેવાં વિરાધી વચનેા અને આશાયેશની ટેવે! હાય છે; એ કે જેમનામાં ખરાખોટાનું ભાન હાય છે તેમના પર એની અસર થતી નથી, અને તેવા પિતાના વચનાનું પાલન કર્યા કરે છે તથા તેમને માન આપ્યા કરે છે.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy