SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ પરિચછેદ ૭ પ્રકારના શિક્ષણમાં જે બે ત્રણ વર્ષને ગાળે પસાર કરવાનું છે * તે બીજી કશી દષ્ટિએ ઉપયોગ નથી; કારણ ઊંધ તથા વ્યાયામ ભણતરને પ્રતિકૂળ છે. અને શારીરિક કસરતોમાં પહેલે કણ આવે છે તેની હરીફાઈ આપણા યુવાનોની જે સૌથી વધારે અગત્યની પરીક્ષા લેવામાં આવે છે તેમાંની એક છે. તેણે જવાબ આપેઃ અવશ્ય. ત્યાર પછી વીસ વર્ષની ઉમ્મરના લોકોમાંથી જેમને ચૂંટી કાઢયા હશે તેમને ઉચ્ચતર શિક્ષા ક્રમમાં ચડાવવામાં આવશે, અને પોતાના અગાઉના શિક્ષણક્રમમાં - તે વિજ્ઞાનની શાખાઓ તેમને કોઈ (વિશિષ્ટ) વ્યવસ્થા સિવાય (૪) શિખવવામાં આવી હશે તે બધાનો હવે સમન્વવ કરવામાં આવશે, અને તેમના સત્ય સત સાથેનો તથા અન્યોન્ય શે નિસર્ગિક સંબંધ છે એ તેઓ જોઈ શકશે. તેણે કહ્યું: હા, માત્ર એ પ્રકારનું જ્ઞાન જ સ્થાયી મૂળ નાંખી શકે છે. ' મેં કહ્યુંઃ હા, એવું જ્ઞાન ઝીલવાની શક્તિ એ આનૈક્ષિકીના અભ્યાસની બુદ્ધિનું મુખ્ય ધોરણ છેઃ સર્વતગામી ચિત્ત જ હંમેશ આન્વીક્ષિી પ્રત્યે ઢળે છે. તેણે કહ્યું હું તમારી સાથે સંમત થાઉં છું. મેં કહ્યું: આ મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવા જોઈશે; અને આવી બુદ્ધિમત્તા જેનામાં સૌથી વિશેષ હોય (૬) અને પિતાના ભણતરમાં તથા પોતાની લશ્કરી અને બીજી મુકરર કરેલી ફરજોમાં થી વઘારે દઢ હોય, તેવા જ્યારે ત્રીસ વર્ષની ઉમ્મરે પહોંચે, ત્યારે (એક વાર) પસંદ કરેલા વર્ગ માંથી (ફરીથી) ચૂંટણી કરવામાં આવશે અને ચૂંટેલાઓને (વળી) ઉચ્ચતર શિક્ષણાનુક્રમમાં લેવામાં આવશે. અને ભૂલ દષ્ટિ તથા બીજી ઇન્દ્રિઓના ઉપયોગને તેઓમાંના કેટલા * શારીરિક કેળવણી : વર્ષ ૧૭-૨૦ + શિક્ષણની ઉચ્ચ શ્રેણીઃ વર્ષ ૨૦-૩૦.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy