SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ પરિચ્છેદ () તેણે કહ્યું: તમે શુ કહેવા માગેા છે ? મે જવાબ આપ્યોઃ તમને ખબર છે કે શીઘ્ર બુદ્ધિ, સ્મરણશક્તિ, વૈદૃષ્ય, ડુાંશિયારી, અને એવા ગુણા એક સાથે ઉગતા નથી અને જે લેકામાં તે હાય છે અને તેની સાથે સાથે જે પ્રાણવાન તથા ઉદાર દ્વાય છે, તેમનું બંધારણ સ્વાભાવિક રીતે જ એવું હોતું નથી કે તે નિયમિત અને શાંત તથા સ્થિર રીતે જીવન ગુજારે; તેમની મનેાવૃત્તિને લીધે તેઓ ગમે તે માર્ગે ધસડાઈ જાય છે, અને દરેક સધન સિદ્ધાન્ત તેમને છેાડી જાય છે. તેણે કહ્યુંઃ સાવ સાચું. જેમના પર આથી ઉલટું, પેલા નિશ્ચલ સ્વભાવના લેાકેા વધારે સારી રીતે વિશ્વાસ મૂકી શકાય, અને જેઓ લડાઈમાં અચલ રહે છે અને ભીતિ તેમને ભેદી શકતી નથી, તેઓ જ્યારે કંઈ પણ શીખવાનું હાય છે ત્યારે પણ એટલા જ નિશ્ચલ રહે છે—તેએ હરહુંમેશ તદ્રાની સ્થિતિમાં હોય છે અને જરા પણ બુદ્ધિને મહેનત આપવી પડે એવું કામ હોય તો તેમને બગાસાં આવવા માંડે છે અને તે કદાચ ઊંઘી પણ જાય. તદ્દન ખરું. અને છતાં આપણે કહેતા હતા કે જેમને ઉચ્ચ કેળવણી આપવાની છે, અને જેમને કાઈ હાદ્દા પર કે અધિકારીપદમાં ભાગ લેવાના છે તેમનામાં આ અને ગુણાની જરૂર છે. તેણે કહ્યું: જરૂર. અને જે વર્ગ ભાગ્યે જ મળી આવે છે એ જ વર્ગના તેએ. ખરા ને? હા, ખરા જ. (૬) ત્યારે આ પદની ઇચ્છા રાખનારાને આપણે અગાઉ કહ્યાં તેવાં મહેનતનાં તથા જોખમનાં કામેા અને સુખાપભાગાની કસાટીમાંથ
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy