SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) એક બીજા મુદ્દાની નોંધ અહીં કરવી જોઈએ. કયા મુદ્દાની ? એને વિદ્યાના ઉપાર્જનમાં આનંદ ઉપજે છે કે નહિ–તે; કારણું જે વિષય તરફથી દુઃખ જ ઉપજતું હોય અને જેમાં કેટલીયે હાડમારી પછી થોડીક જ પ્રગતિ થઈ શકતી હોય તેવા વિષયને કોઈ ચાહશે નહિ. અવશ્ય નહિ જ. અને વળી જે ભણેલું બધું ભૂલી જાય એવો એ હેય, તો એ ખાલી ઘડા જેવો રહેશે, ખરું ને ? એમાં સંશય નથી. (આમ ભણવાની) ફેગટ મહેનત કર્યા પછી, પિતાને ફલહીન ધંધે તથા પોતાની જાત બંનેને એ ધિક્કારે એવું પરિણામ આવશે ? હા. () ત્યારે જે આત્મા ભૂલકણો હોય તેને ખરા ફિલસૂફ સાથે આપણે સરખાવી ન શકીએ, ફિલસૂફની સ્મરણશક્તિ સારી હોવી જોઈશે, એટલું તો આપણે ભાર દઈને કહેવું જોઈએ. જરૂર. અને ફરી એક વાર (આપણે કહીશું કે) વિસંવાદી અને અવિનીત સ્વભાવ માત્ર અ–પ્રમાણુ તરફ જ ઢળે છે. નિઃશંક. અને તમે શું ધારે છો–સત્યને સપ્રમાણ કે અ–પ્રમાણુ સાથે વધારે સાદસ્ય છે ?* સપ્રમાણ સાથે. ત્યારે આપણે એવી વ્યક્તિ શોધી કાઢવા પ્રયત્ન કરવો જોઈએ કે જેનામાં બીજા ગુણ હોય તે ઉપરાંત બધી વસ્તુઓના ખરા * સરખાવો “ફાઇલિબસ, તથા “રિપબ્લિક પરિ. ૪-૪૮૬ ૩
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy