SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ક આપણા જૂના પ્રશ્નના ઉત્તર અપાયા નથી+ : દેવે કે મનુષ્યોના દેખતાં કે અણુદેખતાં છતાં ધર્મ” થવું, ધર્માચરણ કરવું અને સદ્ગુણ આચરવા, અથવા જો માત્ર શિક્ષા પામ્યા વગર અને સુધર્યાં વગર ( થવાતું હાય તે। ) અધર્મી થવું અને અધમ આચરવા—(એ એમાંથી) કયું વધારે લાભકારક છે? ૨૩૪ મારી માન્યતા પ્રમાણે, સાક્રેટિસ, હવે એ પ્રશ્ન હાસ્યાપદ થ ગયા છે. આપણે જાણીએ છીએ કે શરીરનું બંધારણ પડી ભાગ્યા પછી, (માણસ પાસે) બધી સંપત્તિ અને તમામ સત્તા હોય તથા દરેક પ્રકારનાં મદ્ય અને માંસમાંથી એને સંતૃપ્ત રાખવામાં આવે, તેાપણ—પછી જીવત અસહ્ય થઈ પડે છે; ( ) અને ધર્માં તથા અધર્મીનું આપણે જે વર્ણન કર્યુ છે તેવાં તે બને છે એમ માની લઈ ને, સિવાય કે ધર્મ અને સદ્ગુણ એણે કેળવવાના નથી તથા અધમ અને દુર્ગુણથી પેાતાને બચાવ કરવાના નથી એવા એક જ નિયમ બાંધીને જો કાઈ માણસને ગમે તે કરવાની છૂટ આપવામાં આવે, તે ( પછી એ રીતે ) જ્યારે જીવનના તત્ત્વનું ખરેખરું સત્ત્વ અસ્તવ્યસ્ત થયું હોય અને દૂષિત થયું હાય—ત્યારે શું આપણને કાઈ એમ કહેશે કે એવા માણસનું જીવતર જીવવા ચાગ્ય છે? મેં કહ્યું : હા, તમારા કહ્યા મુજબ પ્રશ્ન હાસ્યાસ્પદ છે. તેાપણ આપણી સગી આંખે સત્ય જોઈ શકીએ એવા સ્થાન સુધી આપણે આવી પહોંચ્યા છીએ તે આપણે માર્ગમાં મૂર્છા ખાઈશું નહિ. તેણે જવાબ આપ્યાઃ અવશ્ય નહિ જ. (૬) મેં કહ્યું : અહીં નજીક આવે અને મારી માન્યતા પ્રમાણે દુ'નાં જે ભિન્ન ભિન્ન રૂપા નિહાળવા જેવાં છે તે જુએ. તેણે જવાબ આપ્યો : તમે આગળ ચાલે, હું તમારી પાછળપાછળ આવું છું. + ઝુઆ ઉપર પિર, ૨, ૩૬૭-૩૬૮,
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy