SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ પિરિછેદ ૪ મેં જવાબ આપ્યોઃ હા, કરીશ; * અને હું અત્યારે જોઈ શકું છું તે પ્રમાણે તો, આગળ આવી ગયા તે સગુણ કરતાં સંયમમાં સંવાદ અને એકતાનતાનું તત્ત્વ વધારે અંશે રહેલું છે. તેણે પૂછ્યું: એ કઈ રીતે? મેં જવાબ આપ્યોઃ અમુક (પ્રકારનાં) સુખ અને ઈચ્છાઓને વ્યવસ્થિત કે સ્વાધીન રાખવાં એનું નામ સંયમ; “માણસ સ્વાધીન હોવો જોઈએ,” એ કહેવતમાં પણ આવું જ ગર્ભિત રીતે સૂચન કરવામાં આવ્યું છે એ નવાઈ જેવું છે અને ભાષામાં એ જ વિચારની બીજી છાયા મળી આવે ખરી. તેણે કહ્યું એમાં સંદેહ નથી. “સ્વાધીન” શબ્દ જરા હાસ્યાસ્પદ લાગે છે, કારણ (૪૩૨) (સ્વ+અધીનમાં) સ્વામી છે તે સેવક પણ છે, અને સેવક સ્વામી છે; અને બોલવાની આવી દરેક પદ્ધતિમાં એની એ જ વ્યક્તિ ઉદિષ્ટ હોય છે. અવશ્ય. મારી માન્યતા પ્રમાણે આનો અર્થ એ છે કે મનુષ્યના આત્મામાં એક ઉચ્ચતર અને બીજું જરા અધમ એમ બે તત્ત્વ રહેલાં છે, અને જ્યારે અધમ તત્ત્વ ઉચ્ચતર તત્ત્વના કાબુમાં રહેલું હોય છે, ત્યારે માણસ સ્વાયત્ત છે એમ કહેવાય છે; અને આ એક પ્રશંસાનું પદ છે. પણ જ્યારે ખરાબ શિક્ષણ કે સહવાસને લઈને, ઉચ્ચતર તત્ત્વને લઘુ અંશ ખરાબ તત્તવના ઘણા મોટા પુંજમાં (વ) ગ્રસ્ત થઈ જાય છે, ત્યારે--આવે વખતે તેને દોષ દેવામાં આવે છે, અને કશા પણ સિદ્ધાન્ત વગરને તથા પોતાની (અધમ) જાતને ગુલામ ગણવામાં આવે છે. હા, એ વ્યાજબી છે. - મુદો : ૮: ૩. સંયમ. + પલેટાનું ચિત્તશાસ્ત્ર
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy