SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સંગીત અથવા માનસિક કેળવણી પછી જે બીજા વિષયમાં આપણા યુવાનને શિક્ષણ આપવાનું છે એ શારીરિક કેળવણી છે.* ૧૫૦ અવશ્ય. શારીરિક તેમજ માનસિક કેળવણી નાનપણુનાં વર્ષોંથી શરુ કરવી જોઈ એ; એમાં સંભાળપૂર્વક શિક્ષણ આપવું જોઈએ અને જીંદગીભર એ (૩) ચાલુ રહેવું જોઈ એ. હવે મારી માન્યતા એ છે કે —અને મારા અભિપ્રાયને દઢ કરવા માટે આ બાબત પર તમારા અભિપ્રાય લઉં તા સારું, પણ મારી પાતાની માન્યતા એ છે કે—સારું શરીર કાઈ શારીરિક ગુણાકર્ષને લીધે આત્માને ઉન્નત કરે છે એમ નહિ, પરંતુ એથી ઉન્નયું, સારો આત્મા એના પેાતાના ગુણા દ્વારા શરીરને શકય હોય તેટલું સારું કરે છે. તમે શું કહેશે! ? - હા, હું કબૂલ કરું છું, તેા મનને પૂરતું શિક્ષણ મળી ગયું હોય ત્યાર પછી આપણે એને શરીરની વધારાની ખાસ સંભાળ રાખવાનું સોંપીએ તે કઈ ખાટું કરતા નથી, અને લંબાણુ (ૐ) થતું અટકાવવા, આપણે માત્ર વિષયની સામાન્ય રૂપરેખા હવે આપીશું. બહુ સારું. એમણે કેકથી દૂર રહેવું જોઈએ એ તે આપણે કયારનું કશું છે; કારણ પીધેલા હાય અને પોતાને ભાન પણ ન હોય કે દુનિયામાં પોતે ક્યાં છે એવું બીજા માણસા ન કરે, તેા પાલક તા કયાંથી જ કરે! તેણે કહ્યું : હા, એક પાલકની સંભાળ રાખવા પાછો બીજે પાલક જોઈ એ એ ખરેખર હાસ્યાસ્પદ છે. પણ બીજું—એમના ખારાક બાબત શું કહીશું; કારણ સૌથી મહાન સારી માટે એ માણસોને તાલીમ આપવામાં આવે છે—શું નથી આપવામાં આવતી ? * પરિ. ૩, શારીરિક કેળવણી : ‘Gy m n a s t i k ä Ý
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy