SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ હ૦ ૧૨૧ (૨) “જ્યારે ટેબલ માંસ અને રેટીથી ભરપૂર પીરસેલાં હોય, અને દાની પ્યાલીઓ લઈ જનાર માણસો પાત્રમાંથી પ્યાલીમાં રેડતા, દરેકને દારુ આપતા હોય;૧– એના કરતાં વધારે પ્રશસ્ત બીજું કશું ન હોઈ શકે;–આવા શબ્દ સાંભળવા એ શું યુવાન માણસ માટે યોગ્ય છે અથવા શું એને “સંયમી થવામાં એ મદદ કરે છે? અથવા આ કડી– ભૂખનાં માર્યા દૈવને મળવું અને મરવું એ સૌથી વધારે શોચનીય કમનસીબ છે ? વળી ઝયુસની વાત વિશે તમે શે અભિપ્રાય આપશે–જ્યારે બીજા દે અને માનવ નિદ્રાધીન (૨) હતા, અને એ જ એક પુરુષ જાગતો, યુક્તિ પ્રયુક્તિઓ યોજત, પડ્યો હતો; પણ એક ક્ષણમાં પોતાના કામવિકારને લીધે એ બધું ભૂલી ગયે, અને “હીરીને જેવાથી એ એટલે તે વ્યાકુળ થઈ ગયો, કે તે ઝુંપડામાં પણ ન ગયો, પરંતુ, તેમના માબાપની જાણ બહાર”૩–– જ્યારે એ બંને પહેલવહેલાં મળ્યાં, ત્યારે પણકદી પહેલાં આટલા ઉન્માદની સ્થિતિ સુધી પહોંચ્યો નહોત–એમ કહીને, તેની સાથે ભય પર પડી રહેવાની એણે ઇચ્છા કરી, અથવા હેફેસ્ટસે એરીસ અને એફ્રોટિની આસપાસ, એવી જ ધાંધલને પ્રસંગે કેવી રીતે સાંકળ નાંખી એ બીજી વાત વિશે તમે શું કહેશે ? તેણે કહ્યું: ખરેખર મારે એવો નિશ્ચિત અભિપ્રાય છે કે તેમણે એવી જાતની કોઈ પણ વસ્તુ સાંભળવી જોઈએ નહિ. () પરંતુ સુવિખ્યાત પુરુષોએ કહેલાં કે કરેલાં સહનશક્તિનાં ગમે તે કાર્યો તેમણે સાંભળવાં જોઈએ કે જેવાં જોઈએ; ઉદાહરણર્થ આ પંક્તિઓમાં કહ્યું છે તે— . ૧, ૦d : 9-8. ૨. Ib : 12-342; ૩, Itiad : 14-261; ૪, ૦d = 8-226;
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy