SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ '૮૫ ત્યારે આ જરૂરિયાતને લીધે આપણું નગરરાજ્યમાં પરચૂરણ વેપાર કરનાર દુકાનદારને વર્ગ ઉમે થશે. ચોટામાં બેસીને જે વેચવા લેવાનું કામ કરે છે એને શું આપણે “દુકાનદારનું નામ આપતા નથી * જ્યારે એક નગરથી બીજે નગર (વેપાર અર્થે ) ભ્રમણ કરનારને આપણે વેપારી કહીએ છીએ. તેણે કહ્યું: હા. (૬) અને વળી નોકરેનો એક નિરાળો વર્ગ પણ હશે. જેમની બૌદ્ધિક ભૂમિકા ભાગ્યે જ (એટલી ઊંચી હશે) કે તેમની સાથે સહચાર સાધી શકાય; છતાં મજૂરી કરવાનું શારીરિક બળ તેમનામાં પુષ્કળ હોય છે, જે (બળ) તેઓ વેચે છે અને તેથી હું ભૂલતો ન હોઉં તો તેઓ “રોજીંદા” કહેવાય છે,– કારણ એમની મજૂરીની જે કિંમત આવે છે એ “ર ” કહેવાય છે. ખરું. ત્યારે આપણી વસ્તીને બાકીને ભાગ ભાડૂતી મજૂરેથી ભરાઈ જશે ? હા. અને હવે ઍડેઈમેન્ટસ, આપણું નગર રાજ્ય પરિપકવ અને પૂર્ણ થયું, કે નહિ? હું માનું છું કે થયું. ત્યારે ધર્મ ક્યાં છે અને અધર્મ ક્યાં છે, અને રાજ્યના કયા અંગમાંથી એ ઊગ્યા ? (૩૨) ઘણુંખરું પુરવાસીઓની એકબીજાની લેવડદેવડમાંથી. બીજે ક્યાંયથી એ જડી આવવાનો સંભવ વધારે હોય એમ હું કટપી શકતો નથી. * પરચૂરણ વેપારમાંથી ઊભાં થતાં અનિષ્ટો માટે જુઓ લૅઝ'પુ ૧૦-૯૧૮, ઝદહાડિયા, રાજંદા. ઘરખેડ કરનાર ધણને ખેતરમાં મદદ કરનાર (પિતાની જેને જમીન જ નહિ તે) ઊભડિયા.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy