SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪] ગુજરાતનો ઇતિહાસ માસ છુપાઈ રહી ગુપ્ત રાખ. ત્યારે ચંદ્ર કહ્યું કે મારાં આગળનાં પાપની અસરનું નિવારણ કેવી રીતે થાય. પ્રજાપતિએ કહ્યું : મહાદેવના લિંગની મૂર્તિ બનાવી તેની પૂજા કર; તે તારે માલિક થશે. પછી તેણે તેમ કર્યું. “એમ”ને અર્થ ચંદ્ર અને “નાથ” એટલે માલિક અર્થત “ચંદ્રને માલિક તે જ પથ્થર “મનાથ” છે. હિ. સ. ૪૧૬માં અમીર મહમૂદે ઉખેડી તે તોડી નાખ્યો અને તેના ટુકડા તથા સોનાનાં તાજ અને સાંકળ ગઝના લઈ ગયો. તેના કેટલાક ટુકડા ગઝનાના મેદાનમાં થાણેશ્વરના ચકેશ્વરની મૂર્તિ સાથે પડ્યા છે. તેમજ કેટલાક ટુકડા જામે મસ્જિદના દરવાજા પર છે, જે વડે લેકે પિતાના પગની વળગેલી માટી કાઢી નાખે છે. એક બીજી જગ્યા ઉપર જણાવવામાં આવ્યું છે કે અદ્યાપિ પણ ગઝનાના મેદાનમાં સોમનાથનું માથું પડેલું છે. જે મહાદેવના લિંગના રૂપનું છે. (પૃ. પ૬) વળી મેં સાંભળ્યું છે કે એક ઋષિએ મહાદેવને પિતાની પત્ની સાથે જોયા અને શંકાશીલ થઈ તેને શાપ દીધો કે તારું લિંગ રહેશે નહિ, ત્યારે તે ભાગ સપાટ થઈ ગયું. ત્યાર પછી તેણે ઋષિ પાસે જઈ દલીલો સહ પિતાની નિર્દોષતા જાહેર કરી અને તેને વહેમ દૂર કર્યો. તેણે કહ્યું “ખેર જે થયું તે થયું પરંતુ હું એના બદલામાં આ પ્રમાણે કરું કે જે ચીજ તારી પાસે નથી રહી તેની મહત્તા ગણવી કેમાં એને પૂજ્ય કરીશ.” આ લિંગના પથ્થરમાં બિલકુલ એબ હેવી જોઈએ નહિ. તે લાંબે અને ઘાટીલે હે જોઈએ. એનો પોણો ભાગ જમીનમાં દટાયેલો અને ત્રીજા ભાગની પછી ઉપરથી આઠ બાજુ મઢેલો હોવો જોઈએ. એ ભાઈ પિંડ કહેવાય છે. તેનું વર્તુળ નાનું કે બારીક કરવાથી ધાંધલ મચે છે અને જમીનમાં ઓછું દાટવાથી રોગચાળો ફેલાય છે. અને બનાવતી વખતે ખીલા મારવામાં આવે તો શહેરનો હાકેમ પિતાના ખાનદાન સહ પાયમાલ થઈ જાય છે. રસ્તામાં ઉડાવતી વખતે તેને કેઈપણ જાતને ધક્કો વાગે તો તેમ કરનારને વિનાશ થાય છે. મુલ્કમાં તેફાન અને
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy