SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ મુસલમાનને સંબંધ [ ર૦૫ દક્ષિણ ગુજરાતમાં તે સમયે ચાલુક્ય ખાનદાનનું રાજ્ય હતું. તેની અસલ હકૂમત તો દક્ષિણમાં હતી અને ગુજરાત તેના તાબામાં હતું. એ ખાનદાનની હકૂમત ઈ. સ. ૬ ૩૪ (હિ. સ, ૧૨)થી માંડી ઈ. સ. ૭૪૦ (હિ. સ. ૧૨૩) પર્યત રહી. ભરૂચમાં ગુજર લોકોનું રાજ્ય હતું અને તે સર્વ ઉપર ચાલુક્યના સોલંકી ખાનદાનની શહેનશાહત હતી. ગુજરાતના લગભગ તમામ કિનારા વલભીના રાજાઓની સત્તા, નીચે હતા, જેમની તારીફ પાછળથી આવનારા અરબ મુસાફરેએ કરી હતી. એ વલભીના રાજાઓ અને આસપાસના બીજા રાજાઓ સાથે જે લડાઈઓ ચાલુ રહી હતી તેનું વર્ણન પણ એ મુસાફરોએ કર્યું છે. જુનેદ પછી તમીમ અતબી અને તેના પછી હકમ બિન અવાના હાકેમ થયું. ત્યાર પછી એક પછી બીજો એમ હાકેમો આવતા રહ્યા; એટલે સુધી કે ઉમૈયા સલ્તનતને બદલે અમ્બાસિયા સલ્તનત શરૂ થઈ, અને અબ્બાસી હાકેમો આવવા લાગ્યા. ઈ. સ. ૭૫૭ (હિ. સ. ૧૪૦)ની લગભગ ખલીફા મજૂર અબ્બાસીએ હિશામ બિન ઉમર તથ્યબીને સિંધના હાકેમ બનાવ્યો ત્યારે તેણે ઉમર બિન જમાલને જુદાં જુદાં સ્થળો જીતવાને મોકલ્યો. તેણે બારબુદ (ભાળભૂત) ઉપર હુમલો કર્યો અને હરેક જગ્યાએ જીત મેળવી તે પાછો ફર્યો. ત્યારપછી ખુદ હિશામે જહાજોને એક કાર્લ તૈયાર કરાવી દરિયાઈ માર્ગે ગંધાર ઉપર ચડાઈ કરી વિજેતા તરીકે દાખલ છે. નકશા ઉપરથી માલૂમ પડે છે કે તે માંડલ પહેલાં ધિણેજ આવ્યો હશે, અને ત્યારપછી ભરૂચ ગયે હશે. “ણિનમાન” મુલતાન અને પાટણ વચ્ચે ૧૬ જજન (એક જન આઠ માઇલને હોય છે)ના અંતરે છે. (અલહિંદ અલ્બરૂની, પૃ. ૭૩, છપાયેલ યુરેપમાં). આજકાલ ઝાલોર ઈલાકા પાલનપુરના રાજ્યમાં શામેલ છે. (તારીખે પાલનપુર, પૃ૦ ૧૩૬) ૧ ગંધાર –બલાઝરીએ (પૃ. ૪૪૬ છપાયેલ યુરો૫) “કુન્દહાર” શબ્દ વાપર્યો છે. પરંતુ કેટલાક ઇતિહાસકારે કહે છે કે “કુન્દહાર કાબૂલમાં
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy