________________
(૭૫) વિચારની વિચારણા
अज्ञान प्रभवं सर्व ज्ञानेन प्रविलीयते ।
संकल्पो विविध: कर्ता विचार: सोऽयमीदृशः ॥१४॥ સર્વનું અજ્ઞાનેન ઝમવ૬ = આ સર્વ અશાનથી ઉત્પન્ન થયું છે જ્ઞાનેન વિત્તીયતે = અને તે જ્ઞાનથી લય પામે છે. વિવિધ સંન્ધ: = વિવિધ પ્રકારનો સંકલ્પ જ કર્તા છે અથવા
વિવિધતા સંકલ્પ દ્વારા જ ઉત્પન્ન છે સ: મહેમુ : વિવાદ આવો વિચાર તે જ વિચાર કહેવાય
સ્વ” સ્વરૂપના ચિંતનપ્રવાહમાં વહન કરતાં ઘણી વાર પ્રવાહ વિરૂદ્ધ-પ્રવાહ સામે જવાનો પ્રસંગ પણ આવે અને તેવું મનન કરવાનો આ સ્થળે સમય આવી ગયો છે.
વિચારનું સ્વરૂપ સમજાવતાં ભગવાને પ્રથમ કહ્યું: “હું કોણ? જગત ! ક્યાંથી આવ્યું? તેનો કર્તા કોણ? તેમ વિચારો.” પછી સમજાવ્યું કે, “હું ) દેહ-ઇન્દ્રિયથી વિલક્ષણ છું તેવું મનન કરો,” હવેની વિચારણામાં કહે છે કે, “કોઈ જાતનો સર્જક નથી; સર્જન ભાસે છે પણ તેનું સાચું અસ્તિત્વ નથી. તેથી જેને સંસાર દેખાય છે તે તેના અજ્ઞાનનું કારણ છે. વ્યક્તિના અજ્ઞાનથી જ સંસાર ઉત્પન્ન થાય છે.”
વ અજ્ઞાનેન ઝમવ” વિચારસાગરમાં ડૂબકી મારતાં અને એક જ નિશ્ચય પર અવાય છે કે જ્ઞાની માટે તો જગત નથી જ અને ઘણી વાર અજ્ઞાનીને પણ તેવો અનુભવ થાય છે. જ્ઞાનીનો સમજપૂર્વકનો અલૌકિક અનુભવ છે; અશાનીનો પરિસ્થિતિ નિર્મિત લૌકિક અનુભવ છે.
(૧) અજ્ઞાનીને જ્યારે આપત્તિરૂપી આફત આવે છે, જ્યારે તે મુશ્કેલીમાં મુકાય છે, હતાશા, નિરાશા અને નિષ્ફળતાના વાદળોથી ઘેરાય છે ત્યારે તે પણ ક્ષણિક અનુભવે છે કે સંસાર મિથ્યા છે; જગત માયિક છે, બધે અંધેર છે. ક્યાં છે કોઈ નિયંતા! ક્યાં છે ન્યાય! સંસાર સંતાન છે, દુનિયા ઠગારી છે, ચાલ, છોડી દઈએ. આમ, પળભર અજ્ઞાનીને પણ સ્મશાન-વૈરાગ્યનો વાયરો સ્પર્શ કરી જાય છે.