________________
(૨૮).
આપની અંદર. ઉપાદાન મારી અંદર! આશ્વર્ય! હા..હા...હા..એક હજાર ને એક વાર આપની અંદર. માત્ર એક વાર કહો-ફરી નહીં પૂછું.
જયારે બ્રહ્મનું અજ્ઞાન હોય ત્યારે mતનું શાન હોય; જ્યારે અધિષ્ઠાનનું અજ્ઞાન હોય ત્યારે આરોપનું ભાન હોય; જ્યારે આપને આપનું અજ્ઞાન હોય ત્યારે સંસાર હોય; જેમ જાગ્રતનું જ્ઞાન થતાં સ્વપ્ન જગત રહેતું નથી તેમ સ્વરૂપનું જ્ઞાન થતાં સંસાર રહેતો નથી. પણ અશાનમાં જ સંસાર mત જન્મે છે.
હવે આપ જ ઉત્તર આપો, mત ક્યારે હોય? સમજયો, અજ્ઞાન હોય ત્યારે. અજ્ઞાન તમારી અંદર છે કે બહાર? મારી અંદર છે. તો mતનું કારણ તમારી અંદર કે બહાર? ઓ હો...અજ્ઞાન મારી અંદર. અને તે જ છે કારણ mતનું... તેથી જગતનું ઉપાદાન કારણ પણ મારી અંદર જ છે.
માફ કરજે, અંતિમ પ્રશ્નો જગતની ઉત્પત્તિનું કારણ મારી અંદર તો mતનો સંહારક ક્યાં છે?
તમે જ છો સંહારક સુષ્ટિના કારણ કે અજ્ઞાન તમારી અંદર છે. તેનો નાશ તમે જ આત્મજ્ઞાન દ્વારા કરવાના. અજ્ઞાન નહીં હોય તો ગત ક્યાં? આથી યાદ રાખો.
સુષ્ટિના સંહારક તમે. સુષ્ટિના સર્જનહાર તમે
સુષ્ટિના ઉપાદાન કારણ તમે. સુષ્ટિનો કર્તા, ભોકતા, સર્વ કંઈ હું અને છતાં સર્વથી મુક્ત હું