SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૧) છે. તેઓ પણ દૃઢતાપૂર્વક નિ:શંક સમજાવે છે કે આત્મવિચાર કે વિચાર વિના હુ કોણ છું તેનું જ્ઞાન કી થઈ શકે તેમ તથી. તેવું જ શંકરાચાર્યજી કહે છે કે વિચાર વિના જ્ઞાન ઉત્પન્ન થઈ શકે તેમ નથી. ઉપનિષદ પણ આવા વિચારમાર્ગને જ સંમતિ આપે છે. केनेषितं पतति प्रेषितं मनः न प्राणः प्रथमः प्रति युक्तः । षितां वाचमिमां वदन्ति चक्षुः श्रोत्रं क उ देवो युनक्ति ॥ કેનશ્રુતિ વિચારની પદ્ધતિ દર્શાવે છેકોની પ્રેરણાથી મન વિષય તરફ; કોની પ્રેરણાથી પ્રાણ ઊર્ધાદિ સ્થાન પ્રતિ; કોની પ્રેરણાથી વાણી ઉચ્ચાર ભણી જાય છે? ક્યા દેવ ચક્ષુ અને શ્રોત્રને દૃશ્ય કે શબ્દ તરફ પ્રેરે છે? જેને વિચારમાર્ગની-સ્વરૂપચિંતનની કળા આવડી જાય છે તે કદી મોક્ષ માટે, સાક્ષાત્કાર માટે, સામાનાર માટે, રૂપદર્શન માટે ઉતાવળ કરતો નથી; “શોર્ટકટ’ શોધતો નથી, ક્યાંય ભાગદોડ કરતો નથી. કારણ કે વિચારથી તેને બધું જ જ્યાં છે ત્યાં જ ત્યારે જ પ્રાપ્ત છે. “ઉતાવળ એ જ કારણથી નથી કરતો હું દર્શનની હકીકતથી વધુ સુંદર હકીકતના વિચારો છે.” ભગવાન શંકારાચાર્ય તો જણાવે છે કે જે વેદાન્તનાં વાક્યોમાં રમણ કરે છે, વિચારોમાં ગમન કરે છે તે ભલે માત્ર લંગોટી પહેરતો હોય પણ પરમભાગ્યશાળી છે “જોવિનવન્ત: વત્તુ માયવન્ત:' ભગવાને વિચારમાર્ગવાળાને, આત્મચિંતન કરનારને પરમ ભાગ્યશાળી એટલા માટે કહ્યો છે કે મોક્ષનું, અપરોક્ષ અનુભૂતિનું જે માત્ર એક અને સર્વોત્કૃષ્ટ સાધન છે, તે જ તેને ઉપલબ્ધ છે. અને તે જ ઉત્તમ સાધન ૠષિ યાજ્ઞવલ્ક્ય દ્વારા પણ ઉપદેશાયેલું છે કે, आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मंतव्यो निदिध्यासितव्यः । - અરે, આ આત્મા દર્શનીય, શ્રવણીય, મનનીય [અર્થાત્ ચિંતન અને વિચાર] અને નિદિધ્યાસન કરવા યોગ્ય છે.” તેથી શ્રી શંકરાચાર્યજીની વાત શ્રુતિસમ્મત છે. તેમના ક્થનમાં શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિનો રણકાર છે
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy