SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) આવા અનેક પ્રશ્નો આપણને ઊઠે છે જ્ગત વિશે, જીવ વિશે, ઈશ્વર વિશે. શું તેના સમાધાન માટે કોઈ પુસ્તકની જરૂર નથી? જીવ, ગત અને ઈશ્વરની સમજ માટે જે સાહિત્ય છે તે જ આપણા વેદ, તે જ આપણાં શાસ્ત્રો, જેને અહીં ‘નિમ’ કહ્યું છે. જે તેમાં શ્રદ્ધા નહીં હોય તો ન તો આપણે આપણું સાચું સ્વરૂપ જાણી શકીશું, ન જગતનું રૂપ પારખી શકીશું અને જીવન વ્યર્થ ચાલ્યું જશે. તેથી વેદ અને શાસ્ત્રમાં શ્રદ્ધા રાખી વેદવાક્યના પ્રકાશમાં સ્વરૂપ તરફ ગતિ કરવામાં જ માનવજીવનની સાર્થકતા છે. “વેદ-શાસ્ર સાચાં છે તેની સાબિતી શું?” “ભાઈ સાબિતી તો તારી ખુદની પણ નથી. તમારો જન્મ અમુક તારીખે અમુક સમયે થયો તેની સાબિતીનું તમારી પાસે શું પ્રમાણ છે?” “મારા જન્માક્ષરમાં બધું લખ્યું છે.” "" ‘તારા જન્મ વખતે શું તે જ્યોતિષ જાણનાર હાજર હતો ?” << “ના, ના. સમય તો ડોક્ટરે કે નર્સે નોંધેલો.’’ તેનો અર્થ એટલો જ કે તમારી પાસે તમારા જન્મની સાબિતી નથી, તમારે તો જન્મસમય અને દિવસ-રાતની ખાતરી કરવા ડોક્ટર કે નર્સના વાક્ય પર શ્રદ્ધા જ અંતે રાખવી રહી. તો પછી શાસ્ત્ર કે વેદવાક્યમાં શ્રદ્ધા રાખવામાં વાંધો શું? તે પણ અગણિત ઋષિ-મુનિ-જ્ઞાનીઓની અપરોક્ષ અનુભૂતિ જ છે. .. કદી આપણે વિચાર્યું છે કે અમુક વ્યક્તિ આપણા પિતા કેમ ? તે પિતા છે તેની સાબિતીને આપણે પડકારતા નથી, પણ આપણી માતાએ કહ્યું કે તે પિતાજી છે તેથી આપણે શ્રદ્ધાથી વિચાર્યા વિના સ્વીકારેલું છે. શ્રદ્ધામાં શંકાને કોઈ સ્થાન નથી. અને શંકાના સામ્રજ્યમાં શ્રદ્ધાનું અસ્તિત્વ નથી. જે વિષયમાં આપણું અજ્ઞાન હોય તેથી તે વસ્તુ, વિષય કે વ્યક્તિ “નથી” તેવું ન હેવાય. જે સાબિત ન થાય તે પણ હોય, અને હોય તેની સાબિતી ન પણ થાય. આધુનિક યુગમાં “ટેસ્ટ ટ્યૂબ બેબી” જન્મે. બાળક મોટું થાય છતાં તેને ખબર નથી કે તેના પિતા કોણ છે? આમ આ બાળકના અજ્ઞાનથી પિતા નથી તેવું ન કહી શકાય.. સંતાન છે કાર્ય છે તેથી તેનું કારણ જરૂર હોવું જોઈએ. જે અસ્તિત્વમાં છે તેનો રચયિતા જરૂર છે. તેમ જ્ગત અસ્તિત્વમાં છે તેથી ઈશ્વર તેનો -
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy